અનિલ જોશી | |
---|---|
![]() અનિલ જોશી ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ખાતે, ૨૦૦૫ | |
જન્મ | અનિલ રમાનાથ જોશી 28 July 1940 ગોંડલ, ગુજરાત |
મૃત્યુ | 26 February 2025 મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત | (ઉંમર 84)
વ્યવસાય | કવિ, નિબંધ કાર |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | એમ. એ. |
માતૃ શિક્ષણ સંસ્થા | ગુજરાત યુનિવર્સિટી |
સમયગાળો | આધુનિક ગુજરાતી સાહિત્ય |
લેખન પ્રકારો | ગીત, મુક્ત પદો, ગઝલ, નિબંધ |
નોંધપાત્ર સર્જન |
|
નોંધપાત્ર પુરસ્કારો | સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૯૦)[૧] |
સક્રિય વર્ષો | ૧૯૬૧-હાલ પર્યંત |
જીવનસાથી | ભારતી જોશી (લ. 1975) |
સંતાનો | સંકેત (પુત્ર) રચના (પુત્રી) |
સહી | ![]() |
અનિલ રમાનાથ જોશી (૨૮ જુલાઇ ૧૯૪૦ – ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫) ગુજરાતી નિબંધકાર અને કવિ હતા.
તેમનો જન્મ ગોંડલમાં થયો હતો. તેમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અનુક્રમે ગોંડલ અને મોરબીમાં લીધું હતું. તેમણે ૧૯૬૪માં એચ.કે.આર્ટસ કૉલેજ, અમદાવાદથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે વિનયનના સ્નાતક (બેચલર ઓફ આર્ટસ)ની પદવી મેળવી હતી.
ટૂંકી માંદગી બાદ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ મુંબઈ ખાતે તેઓનું અવસાન થયું હતું.[૨]
તેમણે ૧૯૬૨-૧૯૬૯ દરમિયાન હિંમતનગર, અમરેલીમાં શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. ઉપરાંત તેઓ ૧૯૭૧થી ૧૯૭૬ સુધી ‘કૉમર્સ’ સામયિકના તંત્રી રહી ચુક્યા છે. તેઓ વાડીલાલ ડગલીના પી.એ. ૧૯૭૬-૭૭માં પરિચય ટ્રસ્ટમાં સહસંપાદક રહ્યા હતા. તેમણે ૧૯૭૭થી આજ સુધી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
શ્રેણી | વર્ષ | પ્રકાર |
---|---|---|
કદાચ | ૧૯૭૦ | કાવ્યસંગ્રહ |
બરફના પંખી | ૧૯૮૧ | કાવ્યસંગ્રહ |
પવનની વ્યાસપીઠે | ૧૯૮૮ | લલિતનિબંધસંગ્રહ |
સ્ટેચ્યૂ | ૧૯૮૮ | નિબંધસંગ્રહ |
બોલપેન | નિબંધસંગ્રહ | |
બારીને પડદાનું કફન | નિબંધસંગ્રહ | |
દિવસનું અંધારું છે | નિબંધસંગ્રહ | |
કાગડો ધોળા દિવસનું અંધારું છે | નિબંધસંગ્રહ |