ગાંધી મંડપમ એ ચેન્નઈના અડયારમાં સરદાર પટેલ રોડ પર બનાવાયેલી સ્મારકોની શ્રેણી છે. [૧] [૨] [૩] આ સંકુલમાં બાંધવામાં આવેલ પ્રથમ માળખું મહાત્મા ગાંધીનું સ્મારક હતું. મદ્રાસના તત્કાલિન મુખ્યમંત્રી સી રાજગોપાલાચારી દ્વારા ૨૭ જાન્યુઆરી ૧૯૫૬ ના દિવસે તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. બાદમાં, સ્વતંત્રતા સેનાનીઓ માટે અન્ય ચાર સ્મારકો રત્તામલઈ શ્રીનિવાસન અને ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ રાજાજી, કામરાજ અને એમ ભક્તવત્સલમ દ્વારા ઉમેરવામાં આવ્યા હતા.
તેની પ્રખ્યાતતાને કારણે, જાહેર કાર્યો માટે ખાસ કરીને સાંસ્કૃતિક પ્રવચનો અને સંગીત પ્રદર્શન માટે ઘણીવાર આ સ્થળનો ઉપયોગ કરવામાં આવે છે. [૪] [૫] આ સ્થળ શહેરમાં એક મનોરંજન ઉદ્યાન તરીકે પણ વપરાય છે. [૬]
|archive-date=
(મદદ)
|archive-date=
(મદદ)