સંપાદક(કો) | મનોજ પરમાર |
---|---|
વર્ગ | દલિત સાહિત્ય |
આવૃત્તિ | માસિક |
બંધારણ | |
પ્રકાશક | મનોજ પરમાર |
સ્થાપક | મનોજ પરમાર |
સ્થાપના વર્ષ | ૨૦૦૬ |
પ્રથમ અંક | 13 November 2006 |
દેશ | ભારત |
મુખ્ય કાર્યાલય | ચાંદખેડા , ગાંધીનગર |
ભાષા | ગુજરાતી |
ISSN | 2319-7862 |
દલિતચેતના મનોજ પરમારના સંપાદન હેઠળ દર મહિનાની ૧૩ તારીખે પ્રકાશિત થતું એક ગુજરાતી ભાષાનું માસિક સામયિક છે. ગુજરાતી દલિત સાહિત્યને ખીલવાના હેતુથી આ સામયિકની સ્થાપના ૨૦૦૬ માં કરવામાં આવી હતી.[૧] [૨]
સામયિકનો પ્રથમ અંક ૧૩ નવેમ્બર ૨૦૦૬ ના રોજ ગાંધીનગરના ચાંદખેડાથી પ્રકાશિત થયો હતો. બાદમાં, તેણે વર્ષ દરમિયાન પ્રકાશિત શ્રેષ્ઠ વાર્તા અને શ્રેષ્ઠ કવિતાને ઇનામ આપવાનું શરૂ કર્યું.[૨]
દલિતચેતના વિવિધ પ્રકારની સાહિત્યિક શૈલીઓ અને દલિત સાહિત્ય પર આધારિત લેખો પ્રકાશિત કરે છે જેમાં કવિતાઓ, ટૂંકી વાર્તાઓ, ટીકા, સંશોધન પત્ર અને નિબંધોનો સમાવેશ થાય છે.[૨]