એસ. પી. બાલાસુબ્રમણ્યમ | |
---|---|
![]() | |
પાર્શ્વ માહિતી | |
મૃત્યુ | 25 September 2020 ચેન્નાઈ, તમિલનાડુ, ભારત | (ઉંમર 74)
શૈલી | હિંદી ગીત, તેલુગુ ગીત |
વ્યવસાયો | ગાયક, અભિનેતા, સંગીત નિર્દેશક, નિર્માતા |
સક્રિય વર્ષો | ૧૯૬૫થી હાલ |
શ્રીપતિ પંડિતરાધ્યુલા બાલાસુબ્રમણ્યમ (તેલુગુ: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం; અંગ્રેજી: Sripathi psittacula balasubramaniam; (૪ જૂન ૧૯૪૬ – ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૦) એ ભારતીય પાર્શ્ચ ગાયક, અભિનેતા, સંગીત દિગ્દર્શક, ગાયક અને ફિલ્મ નિર્માતા હતા. તેમણે તેલુગુ, તમિલ, કન્નડ અને હિન્દી એમ ચાર જુદી જુદી ભાષાઓમાં તેમની કૃતિઓ માટે શ્રેષ્ઠ પુરુષ પાર્શ્વ ગાયક માટે છ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા ૨૫ વાર તેલુગુ સિનેમા માટેનો નન્દી પુરસ્કાર ઉપરાંત કર્ણાટક અને તમિલનાડુના અન્ય રાજ્ય પુરસ્કારો મેળવ્યા છે. ૨૦૧૨માં તેમને ભારતીય સિનેમામાં યોગદાન બદલ રાજ્ય એનટીઆર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. ૨૦૧૬માં તેમને સિલ્વર પીકોક મેડલથી ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રી (૨૦૦૧), પદ્મભૂષણ (૨૦૧૧) અને પદ્મ વિભૂષણ (મરણોપરાંત) (૨૦૨૧)થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |