Kharghar | |||||||
— town — | |||||||
| |||||||
અક્ષાંશ-રેખાંશ | 19°02′10″N 73°03′42″E / 19.036146°N 73.0617213°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | મહારાષ્ટ્ર | ||||||
જિલ્લો | Raigad | ||||||
નજીકના શહેર(ઓ) | Mumbai | ||||||
લોકસભા મતવિસ્તાર | Malvan LokSabha Constituency | ||||||
વિધાનસભા મતવિસ્તાર | Panvel Constituency | ||||||
નગર નિગમ | CIDCO | ||||||
સાક્ષરતા | ૯૮% | ||||||
અધિકૃત ભાષા(ઓ) | મરાઠી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર | 35 square kilometres (14 sq mi) | ||||||
કોડ
|
ખારઘર (खारघर) એ સિડકો (CIDCO) દ્વારા કલ્પિત અને રચિત, નવી મુંબઇનું સ્થળ છે. તે રાયગઢ જિલ્લામાં સ્થિત છે અને તેનો વિકાસ અને જાળવણી સિડકો (CIDCO) દ્વારા કરવામાં આવે છે. ખારઘર મુંબઇ-પૂના હાઇવે (એનએચ 4) પર આવેલું છે જ્યાં મુંબઇ શહેરના મધ્યભાગથી એક કલાકની સફર કરતા પણ ઓછા સમયમાં પહોંચી શકાય છે. આ વિસ્તારના વિકાસની શરૂઆત 1995માં થઇ હતી અને હાલ અહીં વ્યાપારી અને રહેણાંક બંને પ્રકારના સંખ્યાબંધ તૈયાર અને બાંધકામ હેઠળ રહેલા પ્રોજેક્ટ્સ છે. વર્તમાન સમયમાં ઘણા પ્રોજેક્ટ્સ આવતા ખારઘર પણ વાશિ અને નેરૂલ બાદ નવી મુંબઇનું ત્રીજા ક્રમનું સૌથી વિકાસીત સ્થળ હોવાનો દાવો કરે છે.
નવી મુંબઇને મુંબઇ શહેર પરના ભારણમાં ઘટાડો કરવા માટે મેટ્રો કદના એક આકર્ષણ તરીકે માનવામાં આવે છે. તેનું આયોજન પોલિસેન્ટ્રીક નવા નગર તરીકે જાહેર-પરિવહન કોરિડોરની સાથે મધ્યવર્તી કેન્દ્રીકરણ શ્રેણીઓ સાથે કરવામાં આવ્યું છે. જ્યારે સંપૂર્ણપણે બંધાઇ જશે ત્યારે તે ચાર મિલિયન લોકોને રાખવાની ક્ષમતા અને એક મિલિયન નોકરીઓ સાથે આ પ્રકારની 14 ટાઉનશીપ્સ ધરાવશે તેવી અપેક્ષા છે. ખારઘર તેમાંનું એક સ્થળ છે અને આશરે 500,000ની વસ્તી સાથે તેનો વિકાસ સિડકો (CIDCO) દ્વારા કરાઇ રહ્યો છે.
ખારઘરની સાઇટ નવી મુંબઇના સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રીક્ટની બાજુમાં આવેલી છે અને તે બે મુખ્ય હાઇવે અને ચિત્રમય ખારઘર ટેકરીઓની ઘેરાયેલી છે. તલોજા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને તલોજા ક્રીક તેની પૂર્વ તરફ આવેલા છે. ખારઘર એ પ્રાથમિક ધોરણે આવાસી ટાઉનશીપ છે, પરંતુ ઘરો એ નવી મુંબઇના સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રીક્ટનો એક ભાગ છે.
ખારઘર આશરે 1700 હેક્ટરમાં ફેલાયેલું છે, જે 7 કિમી લાંબું અને 5 કિમી પહોળું છે. ખારઘરમાં 12 ગામોની વસાહતો વસેલી છે, જેને પગલે તેની કુલ વસ્તી 20,000 જેટલી થાય છે. ખારઘર 45 સેક્ટરોમાં વહેંચાયેલું છે. જેની સામાન્ય કક્ષા સ્થાન પર 1.5થી 15.0 મિટર સુધી અલગ-અલગ હોય છે. ત્રીજી સાઇટ લગભગ સમથળ છે, પરંતુ ટેકરીની ખૂબ નજીક આવેલો વિસ્તાર ખૂબ નીચો છે. ખારઘરની ટેકરીઓ મોટા પ્રમાણમાં વરસાદનું પાણી લાવે છે, જે નોડ તેમજ સેન્ટ્રલ પાર્કના વિસ્તારના માર્ગે ખાડી તરફ જાય છે. ચારે તરફ આવેલા લીલાછમ પર્વતોથી ઘેરાયેલું નવી મુંબઇનું ખારઘર વરસાદી વાતાવરણમાં હિલ સ્ટેશનથી સહેજ પણ ઓછું રમણીય નથી . થોડા વર્ષો પહેલા જે સ્થળો પર જવું ખૂબ મુશ્કેલ હતું, તે તાજેતરના આયોજિત આંતરમાળખાકીય વિકાસને કારણે મુંબઇકરોના પસંદગીના સ્થાનોમાંનું એક બની ગયું છે. ખારઘર એ કુદરતપ્રેમીઓ માટે આનંદનું સ્થળ છે, જે વિશાળ ખુલ્લી જગ્યા અને હરિયાળી ધરાવે છે. વિશાળકાય ફુવારો સ્થળના આકર્ષણમાં વધારો કરે છે, સાંજની એક સહેલ તમને તાજગી આપે છે, અને પાંડવખાડા ખાતેનો પાણીનો ધોધ પિકનીકપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે અને વરસાદની મોસમમાં સમગ્ર મુંબઇમાંથી લોકો તેની મુલાકાતે આવે છે.
રૂ. 40,000 મિલિયન (1140 મિલિયન યુએસ ડોલર)ના ખર્ચે તૈયાર થયેલા પ્રાથમિક આંતરમાળખા સાથે, નવી મુંબઇ હવે રહેવાસીઓને આવકારવા, વસ્તીના મોટા સ્થળાંતર, ઉદ્યોગો, વ્યાપાર અને મુંબઇ અને અન્ય સ્થાનોના બિન-પ્રદૂષક કારોબારો માટે તૈયાર છે. ખારઘરમાં મોટા પાયે પાણીની તંગી સર્જાય છે. તેનું આયોજન એવી ખરાબ રીતે કરવામાં આવ્યું છે કે ખારઘરના ઘણા સેક્ટર્સમાં કેબલ ન નાખવામાં આવ્યા હોવાથી ટેલિફોન લેન્ડ લાઇનો પણ નહીં હોય. આ સેક્ટર્સના લોકોએ સંદેશાવ્યવહાર માટે તેમના સેલ્યુલર ફોન અથવા ફિક્સ્ડ લાઇનના વાયરલેસ ફોન પર નિર્ભર રહેવું પડે છે. પર્યાવરણની દ્રષ્ટિએ તાજી હવાને કારણે ખારઘર શ્રેષ્ઠ સ્થાન છે પરંતુ ઓછા જાહેર પરિવહનને પગલે ખારઘરમાં રહેવું ખૂબ ખર્ચાળ છે અને દૈનિક ધોરણે જરૂર પડતી વસ્તુઓની પણ અહીં મોંઘી મળે છે. અહીં શ્રમિકો પણ ઘણા ખર્ચાળ હોવાથી એકંદરે સંપૂર્ણ વિક્સીત વિસ્તાર બનતા તેને સમય લાગશે.
ખારઘરમાં ભારતની પ્રતિષ્ઠીત શૈક્ષણિક સંસ્થા આવેલી છે. નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેક્નોલોજી. એનઆઇએફટી (NIFT)ના ટૂંકા નામે ઓળખાતી આ સંસ્થા 2002-03માં દાદરથી ખારઘર ખાતે લાવવામાં આવી. તે ફેશન ડિઝાઇન, ફેશન કોમ્યુનિકેશન અને એપરલ મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં અંડર ગ્રેજ્યુએટ કોર્સીસ અને ફેશન મેનેજમેન્ટ તથા ફેશન ડિઝાઇન સ્પેસમાં પોસ્ટગ્રેજ્યુએટ કોર્સીસ ઓફર કરે છે. જોકે એનઆઇએફટી (NIFT)નું મુખ્ય મથક દિલ્હી ખાતે આવેલું છે. હાલમાં શ્રી આઇ.બી. પીરઝાદા સંસ્થાના ડિરેક્ટર છે. ખારઘર વ્યાપારી અને રહેણાંક એમ બંને સેગમેન્ટમાં તૈયાર અને બાંધકામ હેઠળના પ્રોજેક્ટ્સ ધરાવે છે. હિરાનન્દાની કોમ્પ્લેક્સ (ક્રિસ્ટલ પ્લાઝા), કેન્દ્રિય વિહાર ખારઘરના કેટલાક જુના રહેણાક કોમ્પ્લેક્સીસમાં સ્થાન ધરાવે છે. ભારતીય સશસ્ત્ર દળો અહીં બે રેસિડેન્શિયલ એન્ક્લેવ ધરાવે છે - જલવાયુ વિહાર અને રઘુનાથ વિહાર. ખારઘર તાતા મેમોરિયલ હોસ્પિટલનું કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ પણ ધરાવે છે.ખારઘરમાં સંખ્યાબંધ વૈભવી રહેણાંક પ્રોજેક્ટ્સ કૂદકે ને ભૂસકે વધ્યા છે. રિજન્સી હિલ્સ, કેસર હાર્મની અને આગામી સમયમાં આવનારા સાયપ્રેસ એક્વા, હેક્સબ્લોક્સ અને કેસર એક્ઝોટિકા જેવા પ્રોજેક્ટ્સ નવી મુંબઇના શ્રેષ્ઠ ગણાતા પ્રોજેક્ટ છે અને તે મુંબઇના પરા વિસ્તારના પ્રોજેક્ટ્સ જેટલા જ મોંઘા છે. એક અગ્રણી ઔદ્યોગિક જૂથ ધનિક અને જાણીતા લોકો માટે ખારઘર હિલ્સ પર હોલિવુડ જેવા વૈભવી વિલાનું બાંધકામ કરવાનું આયોજન કરી રહ્યું છે. જો કે આ સમાચારોને હજુ પુષ્ટિ મળી નથી. પગપાળા પર્યટન કરતા લોકો ધોધ અને ઝરણાના પ્રવાહને કારણે ચોમાસાની મોસમ દરમિયાન ખારઘરની ટેકરીઓની મઝા માણે છે.
સિડકો (CIDCO)એ ખારઘરના સેક્ટર 21માં શોપિંગ મોલ્સની સાથે 18 હોલ ગોલ્ફ કોર્સીસ બનાવવાનું આયોજન કર્યું છે જેને પગલે શહેર નવી મુંબઇના શ્રેષ્ઠ સ્થાનોમાંનું એક થઇ જશે. જેની ઘણા સમયથી રાહ જોવાઇ રહી છે તેવો સેક્ટર 23નો સેન્ટ્રલ પાર્ક લંડનના સેન્ટ્રલ પાર્કની કલ્પનાને આધારે તૈયાર કરવાનું આયોજન છે અને તે આશરે 80 હેક્ટર્સ સુધી ફેલાયેલો હશે તથા તે ત્રણ સેક્ટરને સાંકળી લેશે. આ પાર્કનો હેતુ આનંદપ્રમોદ માટેના સક્રિય અને નિષ્ક્રીય સાધનો માટેનું શ્રેષ્ઠ સ્થાન પુરુ પાડવાનો છે. નવી મુંબઇને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધી અપાવવાનો પણ એક પ્રયત્ન છે. વર્ષ 2010ના મધ્ય ભાગ સુધીમાં તે પૂર્ણ થઇ જશે તેવી અપેક્ષા છે. સેન્ટ્રલ પાર્ક જ્યારે પૂર્ણ થઇ જશે ત્યારે તેમાં જોગર્સ ટ્રેક્સ, ફૂડ કોર્ટ્સ, ફાઉન્ટેન્સ, બોટનિકલ ગાર્ડન્સ, એમ્પિથિયેટર, થીમ પાર્ક અને કન્ઝર્વેટરી હશે. ઇસ્કોને સેન્ટ્રલ પાર્કની સાથે તેમનું મંદિર બાંધવાની શરૂઆત કરી હતી. આ ભારતનું સૌથી મોટું ઇસ્કોન મંદિર બનશે તેમ મનાય છે. સેક્ટર 12માં "ક્રાન્તિવીર ફડકે ગાર્ડન" નામનો વિશાળ પાર્ક આવેલો છે જે સેક્ટર 12, 20 અને 21ના લોકો માટે ઉપયોગી છે.
હાલમાં ખારઘર બે મલ્ટીપ્લેક્સિ મુવિ થિયેટર ધરાવે છે પ્રથમ તાયરા મોલ ખાતે આવેલો છે જ્યારે બીજુ થિયેટર લિટલ વર્લ્ડ મોલ ખાતે એડલેબ્સ મલ્ટિપ્લેક્સ આવેલું છે. ફૂડ બાઝાર અને ફર્નિચર બાઝાર જેવી રિટેલ બ્રાન્ડ્સ પણ અહીં પ્રાપ્ય છે. આગામી સમયમાં આકાર લેનારા મોલ્સ ખારઘર રેલવે સ્ટેશન નજીક ગ્લોમેક્સ, સેક્ટર 5માં અધિરાજ મોલ, સેક્ટર 12માં પ્રાઇમ મોલ અને સેક્ટર 20માં શાહ મોલ છે. શાહ મોલ અને પ્રાઇમ મોલમાં મલ્ટીપ્લેક્સિસ પણ હશે. પ્રત્યેક સેક્ટરમાં પૂરતી યુટિલીટી શોપ્સ, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ અને સુપર માર્કેટ્સ છે. આ ઉપરાંત, અપના બઝાર, વેલ્યુ માર્ટ, સ્પિનચ અને ફેરપ્રાઇસ જેવા કેટલાક સુપર માર્કેટ્સ પણ ખારઘરમાં કામગીરી ધરાવે છે. આ ઉપરાંત સેક્ટર 12માં કેટલાક મુક્ત બજારો પણ છે. માંસની દુકાન ફક્ત એક જ સેક્ટર 12માં આવેલી છે. સ્પિનચ ફ્રોઝન માંસની વસ્તુઓનું વેચાણ કરે છે. સિમેન્સ ઇન્ડિયા લિમિટેડ (Siemens India Ltd) ખારઘરમાં ઓફિસ ધરાવે છે અને 10 માળની આ બિલ્ડીંગ ખારઘર રેલવે સ્ટેશન નજીકનું સિમાચિહ્ન છે. મેરેથોન રિયલ્ટી ગ્રુપે નવી મુંબઇના સૂચિત આંતરરાષ્ટ્રીય હવાઇમથકની ખૂબ નજીક પનવેલની બાજુમાં 25 acres (100,000 m2) મિની-સેઝનો વિકાસ કરવાની જાહેરાત કરી છે. આ મિની-સેઝ "નેક્સઝોન" આઇટી/આઇટી સંબંધિત ઉદ્યોગ માટે છે અને તેમાં રહેણાંક સંયુક્ત ટાઉનશીપ્સ, વ્યાપારી બિલ્ડીંગ્ઝ, શૈક્ષણિક સંસ્થાઓ અને મનોરંજન માટેના મોલ્સ આવેલા હશે. નેક્સઝોન પણ મુંબઇ-ગોવા રોડથી નજીક આવેલો છે.
સિડકો (CIDCO) દૈનિક પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોઇ રહી છે અને ખારઘર રેલવે સ્ટેશન તરફ જતા દૈનિક પ્રવાસીઓની સલામતી માટે. ખારઘર રેલવે સ્ટેશન અને ખારઘર નોડ વચ્ચેની અડચણ વિનાની મુક્ત હેરફેરની સવલત માટે સ્કાઇવોકના બાંધકામનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્કાઇવોક 35 એમના ઉચ્ચ સ્ટીલના થાંભલા પર કેબલ સસ્પેન્શન બ્રીજ સાથે નેશનલ હાઇવેને પસાર કરે છે. સ્કાઇવોક એકસૂત્રતા માટે ઢાળવાળા રસ્તા સાથે ખારઘર રેલવે સ્ટેશનના પ્રવેશના સ્થાન પાસે ઓપન ટાઇપ એસ્કેલેટર ધરાવે છે. ત્યાર બાદ સ્કાઇ વોક ભારતી વિદ્યાપીઠથી પ્રવેશ માર્ગની શરૂઆત સુધી અને ત્યાર બાદ પ્રવેશ માર્ગથી ઉત્સવ ચોક સુધી હાઇવેની સાથે ચાલે છે.
આ પ્રોજેક્ટની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે છે:
પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ : સ્પેક્ટ્રમ ટેક્નો કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ. સ્કાઇવોક પ્રોજેક્ટ પરની વધુ માહિતી સંગ્રહિત ૨૦૧૦-૧૦-૧૦ ના રોજ વેબેક મશિન
માહિતીનો સ્રોત: સિડકો વેબસાઇટ [૨] સંગ્રહિત ૨૦૧૦-૧૧-૧૮ ના રોજ વેબેક મશિન
ખારઘર મુંબઇ શહેરની બહારની હદમાં આવેલું છે. તે મહારાષ્ટ્રના કોંકણ પાર્ટ તરીકે સામાન્ય રીતે ઓળખાતા સ્થળ પર આવેલું છે અને તે રાયગઢ જિલ્લામાં સ્થિત છે. મુંબઇ સબર્બન રેલવે સિસ્ટમના એક ભાગ હાર્બર રેલવે પર આવેલું છે. છત્રપતિ શિવાજી ટર્મિનસ પરથી સબર્બન ટ્રેન દ્વારા ખારઘર પહોંચતા 65 મિનીટનો સમય લાગે છે. સીએસટી (39 કિમી) પરથી રોડ દ્વારા મુસાફરી કરતા 90 મિનીટનો સમય લાગે છે. છ લેનનો મુંબઇ-પુના એક્સપ્રેસવે કલમબોલિ (ખારઘર પાસે) પાસેથી શરૂ થાય છે. નવી બ્રોડ ગેજ લાઇન ખારઘરને પનવેલના માર્ગે કરજત સાથે જોડે છે. ખારઘર અને છત્રપતિ શિવાજી ટર્મિનસ વચ્ચેની સેન્ટ્રલ રેલવે પ્લાયમાં હાર્બર લાઇનની લોકલ ટ્રેઇનો અને વેસ્ટર્ન લાઇન વડાલાથી જોડાય છે, આ સ્થાન પર પુના તથા રાજ્યના અન્ય મુખ્ય શહેરોથી સરળતાથી પહોંચી શકાય છે. ઉપનગરોમાં, નવી મુંબઇ મ્યુનિસિપલ ટ્રાન્સ્પોર્ટની સવલત પ્રાપ્ય છે અને બસો સ્ટેશનો, નોડ્સ અને સેક્ટરો વચ્ચે સતત ફરે છે.
ખાનગી કારો અને દ્વચક્રીય વાહનો એ પરિવહન માટેના મુખ્ય સાધનો છે. મેરૂ નેટવર્ક જેવા ખાનગી ટેક્સી માલિકો ખારઘરથી નવી અને મુંબઇ અને મુંબઇના અન્ય ભાગો સુધીની ટેક્સી સેવાઓ પૂરી પાડે છે. નોડની અંદર સ્થાનિક જાહેર પરિવહન ખૂબ મુશ્કેલ છે કેમકે સ્થાનિક ગ્રામવાસીઓ દ્વારા નિયંત્રિત ઓટોરિક્ષાવાળાઓ અતિશય ભાડું વસૂલ કરે છે અને તેઓ રોડ ટ્રાફિક ઓફિસ મેન્ડેટરી મિટરીંગ સિસ્ટમને અનુસરતા નથી. એનએમએમટી (NMMT) બસ સેવા છેલ્લા કેટલાક વર્ષોમાં સુધરી હોવા છતાં તે વધતી જતી વસ્તીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે પૂરતી સેવા ધરાવતી નથી. એનએમએમટી (NMMT) બસો ખારઘર રેલવે સ્ટેશન સુધીની સીધી સેવા આપે છે. બેસ્ટે (B.E.S.T) મુંબઇના વિવિધ ભાગોને જોડતા કેટલાક રૂટ શરૂ કર્યા છે. પહોળા રસ્તા, છુટીછવાઇ વસ્તી અને ટ્રાફિક પોલિસ લગભગ ન કહી શકાય તેવું અસ્તિત્વ, કેટલાક વાહનો રોડની વિરૂદ્ધ દિશામાં ચાલે અને તેઓ વિના સંકોચે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે. આમ છતાં, ઓટો સેવા સેટેલાઇટ શહેરના આ ભાગમાં અત્યંત ખરાબ છે. મોટા ભાગના ઓટો વાળા ગ્રામવાસીઓ છે અને તેઓ બહારના લોકોને રિક્ષા ચલાવવાની મંજુરી આપતા નથી. તેઓ હઠીલા અને રહેવાસીઓની સવલતોમાં ઓછો રસ ધરાવે છે. અહીં ઓટો શેરીંગ નથી અને લઘુત્તમ દર રૂ. 15 છે જે ખૂબ વધારે છે. ઓટોના દરો : ખારઘર સ્ટેશનથી સેક્ટર 12 (શિલ્પ ચોક)/રઘુનાથ વિહાર / જલવાયુ વિહાર સુધીના રૂ. 30 . સેક્ટર 19 અને 20 -રૂ. 30 (આશરે અંતર 2.5 કિલોમિટર્સ)
સૂચિત નવું આંતરરાષ્ટ્રીય હવાઇમથક ખાંડેશ્વર અને કામોથની વચ્ચે કોપ્રામાં વર્ષ 2014 સુધીમાં કાર્યરત થાય તેવી અપેક્ષા છે. તેને સિડકો (CIDCO) દ્વારા 1 ઓગસ્ટ, 2009ના રોજ મંજુર કરવામાં આવ્યું હતું. કામોથ (માનસરોવર) રેલવે સ્ટેશન એ હાર્બર રેલવે પર ખારઘર બાદનું બીજુ સ્ટેશન છે. આ હવાઇમથક રોડ માર્ગે ખારઘરથી લગભગ 6 કિમી જેટલું દુર છે.[૧] મુંબઇમાં ન્હાવા શેવા અને સેવરી વચ્ચે સી લિન્ક બનાવવાનું આયોજન છે કે જેથી નવા હવાઇમથકનો ઉપયોગ ફક્ત નવી મુંબઇના રહેવાસીઓ જ નહીં પરંતુ દક્ષિણ મુંબઇ અને પુનાના લોકો પણ કરી શકે. રિયલ એસ્ટેટમાં વર્ષ 2015 બાદ તીવ્ર ગતિએ વધારો થવાની શક્યતા છે. ખારઘર નવી મુંબઇનું શ્રેષ્ઠતમ સ્થળ બની જશે.
સેક્ટર-23,24 અને 25 માટે જમીનના ઉપયોગની સૂચિત વહેંચણી નીચે મુજબ છે :
તે નવી મુંબઇના સૌથી આયોજિત સ્થળોમાનું એક છે અને તે સીબીડી બેલાપુર, વાશિ નજીક આવેલું છે. આ વિસ્તાર સંખ્યાબંધ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સંસ્થાઓએ તેમના કેમ્પસની શરૂઆત કરવા સાથે શિક્ષણ કેન્દ્ર તરીકે વિકાસ પામે તેવી વકી છે.
ખારઘર ઘણી શૈક્ષણિક સંસ્થાઓ પણ ધરાવે છે:
વિવિધ ધર્મો અને સંપ્રદાયો સક્રિય છે અને આ સુંદર ટાઉનશીપમાં શાંતિથી એકસાથે રહે છે. જોકે હાલમાં અહીં કોઇ ધાર્મિક સંસ્થા નથી.
આ સૂચિત પાર્ક આશરે 119 હેક્ટરના વિસ્તાર સાથે સેક્ટર 23,24 અને 25 સુધી ફેલાયેલો હશે. 80 હેક્ટરના વિસ્તારની પસંદગી 'સેન્ટ્રલ પાર્ક' માટે કરવામાં આવી છે. સંબંધિત રીતે આ સમથળ વિસ્તાર છે જ્યાં છુટાછવાયા સ્થળોએ વનસ્પતિઓ છે. આ સ્થળ બે કુદરતી તત્વો - ટેકરી અને પાણી વચ્ચે જોડાણનું કામ કરે છે. સેન્ટ્રલ પાર્ક ખાતે વિવિધ સૂચિત પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે છે
મુખ્ય સ્થળો