ખીજડીયા પક્ષી અભયારણ્ય | |
---|---|
અભયારણ્ય | |
![]() ખીજડીયા પક્ષી અભયારણ્યમાં વહેલી સવારમાં પક્ષીઓનું ઝુંડ | |
અક્ષાંશ-રેખાંશ: 22°31′N 70°08′E / 22.51°N 70.14°E | |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | જામનગર |
સ્થાપના | ૧૯૮૨ |
વિસ્તાર | |
• કુલ | ૬.૦૫ km2 (૨.૩૪ sq mi) |
નજીકનું શહેર | જામનગર |
સંચાલન | વન વિભાગ, ગુજરાત સરકાર |
વેબસાઇટ | gujaratindia |
ખીજડીયા પક્ષી અભયારણ્ય ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના જામનગર જિલ્લામાં આવેલું પક્ષી અભયારણ્ય છે.[૧] આશરે ૬૦૫ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું આ અભયારણ્ય તેના વૈવિધ્યસભર પક્ષીઓને કારણે સમગ્ર ભારતમાં આગવું સ્થાન ધરાવે છે. ૨ ફેબ્રુઆરી ૨૦૨૨ના દિવસે આ અભયારણ્યને રામસર સાઈટ તરીકે જાહેર કરાવામાં આવ્યું હતું.[૨]
આ અભયારણ્ય જામનગર શહેરથી આશરે ૧૨ કિલોમીટર રાજકોટ તરફ જતા ધોરીમાર્ગ ઉપર આવેલું છે. સૌથી નજીકનું હવાઇ મથક જામનગરમાં છે. ૬ નવેમ્બર ૧૯૮૨ના રોજ આ અભયારણ્યની સ્થાપના કરાઇ હતી.[૩] ગુજરાતનું તે સૌથી મોટું પક્ષી અભયારણ્ય છે.[૪] અહીં અભયારણ્ય સુધી બસ અને ટેક્સી સેવાઓ ઉપલબ્ધ છે, તે પછી ૩ કિમીનું અંતર પગપાળા જવું પડે છે.[૫] તે મુખ્ય બે ભાગમાં વહેંચાયેલું છે: બે ભાગો ખારા અને મીઠા પાણી વડે જુદાં પડે છે.
વિશ્વમાં આશરે ૮૬૦૦ જાતનાં પક્ષીઓ હોવાનો અંદાજ છે. જેમાં ભારતીય ઉપખંડમાં આશરે ૧૨૩૦ જાતના પક્ષીઓ અને તે પૈકી આશરે ૪૫૩ જાતના પક્ષીઓ ગુજરાતમાં જોવા મળે છે. જેમાં જામનગર જિલ્લામાં ૨૫૨ જાતનાં પક્ષીઓ જોવા મળે છે. ખીજડીયા ખાતેના આ અભયારણ્યમાં સપ્ટેમ્બરથી એપ્રિલ દરમિયાન બહારથી આવતા પ્રવાસી પક્ષીઓની આશરે ૧૫૦ જાતો શિયાળો ગાળવા માટે આવતી જોવા મળે છે. જમીન પર, ઝાડ પર અને પાણીમાં તરતા આમ ત્રણ પ્રકારના માળા અહીં જોવા મળે છે.
આ અભયારણ્યમાં સ્થાનિક પ્રદેશનાં કાળી કાંકણસાર, ગજપાંઉ, કપાસી, ભગવી સમળી, ઢૉર બગલો, પતરંગો, લીલા પગ તુતવારી, તેતર, શાહી ઝુંપસ, કાંણી બગલી, દેવચકલી, નાની વા બગલી, નીલ જલ મુરઘો સહિતનાં પક્ષીઓ જૉવા મળે છે.
આ અભયારણ્યમાં શિયાળો ગાળવા કાળી પુંછ ગડેરો, નકટો, કુંજ, નાની મુરઘાબી, ચેતવા, ચંચળ, પાન પટ્ટાઇ, સીંગપર, ટીલીયો, પીયાસણ, પટાઇ, કરકરા, દરિયાઇ કિચડીયો સહિતનાં પક્ષીઓ મહેમાનગતિ માણવા આવે છે.[૬]