ગોપીઓ | |
---|---|
વ્રજના જંગલમાં શ્રી કૃષ્ણ સાથે ગોપીઓ | |
અન્ય નામો | કૃષ્ણસખી, કૃષ્ણપ્રેયસી |
ધર્મ | રાધા વલ્લભ સંપ્રદાય, નિંબાર્કા સંપ્રદાય, ગૌડીય વષ્ણવ સંપ્રદાય, પુષ્ટિમાર્ગ |
જોડાણો | રાધાનો અવતાર,[૧] કૃષ્ણ ધર્મ, વૈષ્ણવ ધર્મ |
રહેઠાણ | ગોલોક, વૃંદાવન, બરસાણા |
ગ્રંથો | બ્રહ્મ વૈવ્રત પુરાણ, ગર્ગ સંહિતા, ગીત ગોવિંદ, ભાગવત પુરાણ, તિરુપ્પાવઈ |
લિંગ | મહિલા |
ક્ષેત્ર | વ્રજ |
મંદિર | અષ્તસખી મંદિર વૃંદાવન |
ઉત્સવો | શરદ પૂર્ણિમા, કારતક પૂર્ણિમા, હોળી, લઠમાર હોળી |
વ્યક્તિગત માહિતી | |
આવિર્ભાવ | વ્રજ |
જીવનસાથી | શ્રી કૃષ્ણ |
ગોપી ( સંસ્કૃત: गोपी ) અથવા ગોપિકાઓને હિંદુ ધર્મના વૈષ્ણવ અને શ્રીકૃષ્ણને માનનાર પરંપરામાં તથા ભાગવત પુરાણ અને અન્ય પુરાણ સાહિત્ય જેવા સંસ્કૃત ગ્રંથોમાં વર્ણવ્યા મુજબ, ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેના તેમના નિસ્વાર્થ પ્રેમ અને ભક્તિ માટે, શ્રીકૃષ્ણના સખી અને ભક્તો તરીકે પૂજવામાં આવે છે.[૨] ગોપીઓને ઘણીવાર દેવી રાધાના વિસ્તરીત સ્વરૂપ તરીકે પણ ગણવામાં આવે છે, જેઓ કૃષ્ણની મુખ્ય સખી છે.[૩][૪] કૃષ્ણ સાથેની ગોપીઓની રાસલીલાએ વિવિધ પરંપરાગત પ્રદર્શન કલા સ્વરૂપો અને સાહિત્યને પ્રેરણા આપી છે.[૫]
ભારતીય દાર્શનિક, જીવા ગોસ્વામીના મતે, ગોપીઓને કૃષ્ણની શાશ્વત પ્રિયાઓ માનવામાં આવે છે અને તેઓ શ્રીકૃષ્ણની આંતરિક આધ્યાત્મિક શક્તિની અભિવ્યક્તિ છે. ગોપીઓમાં, રાધા મુખ્ય ગોપી છે અને તે શ્રી કૃષ્ણની આનંદ શક્તિ (આહ્લાદની શક્તિ)નું સ્વરૂપ માનવામાં આવે છે.[૬] તે એકલી જ કૃષ્ણ માટેના સર્વોચ્ચ પ્રેમ એટલે કે મહાભાવને પ્રગટ કરે છે, અને સંખ્યાબંધ ધાર્મિક પરંપરાઓમાં મહત્તમ આદર અને મહત્વનું સ્થાન ધરાવે છે.[૭]
ગોપી (गोपी) એ સંસ્કૃત શબ્દ છે જે ગોપ શબ્દ પરથી આવ્યો છે. હિંદુ ધર્મમાં, ગોપિકા અથવા ગોપી નામનો ઉપયોગ ખાસ કરીને વ્રજ પ્રદેશની ગોવાળણો કે મહિયારીઓ માટે કરવામાં આવે છે.[૮] બહુવચનમાં ગોપીઓ શબ્દ ગોવાળ સ્ત્રીઓના સમૂહને દર્શાવે કરે છે જેઓ કૃષ્ણ પ્રત્યે અનન્ય ભક્તિ ધરાવે છે. જ્યારે તેનો ઉપયોગ એકવચન ("ગોપી") તરીકે થાય છે, ત્યારે તે સામાન્ય રીતે રાધાનો ઉલ્લેખ કરે છે, જે કૃષ્ણની પ્રિય ગોપી હતી.[૯]
વૃંદાવનની અગ્રણી ગોપીઓની સંખ્યા ૧૦૮ની છે. તેઓ રાધા કૃષ્ણ સાથે શાશ્વત ગાઢ મૈત્રી ધરાવે કરે છે. દૈવી દંપત્તિમાં તેમના જેટલો પ્રેમની કોઈ ધરાવતું નથી.[૧૦] ૧૦૮ ગોપીઓમાંથી, રાધારાણી પછી કૃષ્ણના ભક્તોમાં પ્રાથમિક આઠ ગોપીઓને અગ્રણી માનવામાં આવે છે, તેમના નામ નીચે મુજબ છે:[૧૧]
આ આઠ પ્રાથમિક ગોપીઓનો સમૂહ રાધા અને કૃષ્ણની અષ્ટસખીઓ તરીકે ઓળખાય છે.
હિંદુ વૈષ્ણવ ધર્મશાસ્ત્ર મુજબ, ગોપીઓ વિશેની વાર્તાઓ શુદ્ધ-ભક્તિનું ઉદાહરણ પૂરું પાડે છે જે ભગવાન (શ્રીકૃષ્ણ) માટે નિસ્વાર્થ પ્રેમનું સર્વોચ્ચ સ્વરૂપ છે. તેમની સ્વયંસ્ફુરિત અને અતૂટ ભક્તિનું ગૂઢ વર્ણન ભાગવત પુરાણ પછીના અધ્યાયોમાં, કૃષ્ણની વૃંદાવનની લીલાઓમાં અને ઋષિ ઉદ્ધવની વાર્તાઓમાં કરવામાં આવ્યું છે.[૧૧]
વૈષ્ણવ પરંપરામાં, ગોપીઓના કૃષ્ણ પ્રત્યેના પ્રેમ અને ભક્તિનું સૌથી મહત્વપૂર્ણ નિરૂપણ ભાગવત પુરાણ (૧૦.૨૯-૩૩)માં રાસલીલા પંચાધ્યાયના નામની એક વાર્તામાં આપેલું છે. આ વાર્તામાં ગોપીઓ જે ભક્તિ વ્યક્ત કરે છે તેને ચૈતન્ય પરંપરામાં ભક્તિના સર્વોચ્ચ સ્વરૂપનું ઉદાહરણ માનવામાં આવે છે. આ વાર્તામાં, કૃષ્ણની વાંસળીમાંથી નીકળતું સંગીત ગોપીઓનું ધ્યાન આકર્ષિત કરે છે, અને તેઓ કૃષ્ણની ભક્તિનો આનંદ માણવા તેમના પરિવાર અને ઘર છોડીને ચાલી નીકળે છે.[૯] :
એ મધુર સંગીત સાંભળીને,
તેમના પ્રત્યેની ભાવનાઓ વિસ્તરી,
વ્રેજની યુવતીઓ, જેમના
મન કૃષ્ણને આધીન બન્યા હતાં,
એકબીજાથી અજાણ,
તે સ્થળે ચાલી નીકળી
જ્યાં તેમનો પ્રિયતમ તેમની રાહ જોઈ રહ્યો હતો,
તેમની કાનના લટકણીયા મુક્ત રીતે ઝૂલતી હતા
(ભાગવત પુરાણ ૧૦.૨૯.૪)
Radha expresses herself in the multiple forms of gopis