કૃષ્ણ દ્વેપાયન ભગવાન વેદવ્યાસ ના શિષ્ય જૈમિનિ એક મોટા ઋષિ હતા. તેઓ પૂર્વમીમાંસાદર્શનના પ્રવર્તક ઋષિ અને પૂર્વમીમાંસા નામનો તત્ત્વજ્ઞાનનો બહુ અટપટો શાસ્ત્રીય સૂત્રમય ગ્રંથ ના રચયિતા પણ છે. આ ગ્રંથ માં કર્મ કરવાથી જ મોક્ષ મળે છે એવો સિદ્ધાંત તેમણે સ્થાપિત કર્યો હતો. ઉત્તરમીમાંસા અથવા વેદાંત તેમના ગુરુ કૃષ્ણ દ્વૈપાયને બનાવેલ છે. આ ગ્રંથોમાં વેદવ્યાસે એના જૈમિનિ ઋષિના પક્ષનું ખંડન કર્યું છે.
જૈમિનિ ખાસ કરીને તેમના પૂર્વ મીમાંસા સૂત્ર એટલે કે કર્મ મીમાંસાની રચના માટે પ્રસિદ્ધ છે, આ એક એવી રચના છે જે વેદીક આજ્ઞાઓનો અભ્યાસ કરે છે. આ પ્રાચીન ભારતીય તત્વદર્શનનો એક ભાગ છે.
ઈ.પૂ. ત્રીજી શતાબ્દીમાં રચાયેલી આ કૃતિમાં ૩,૦૦૦ સૂત્રો છે અને મીમાંસાદર્શનનું આધારભૂત સાહિત્ય છે. આ ગ્રંથનો હેતુ વેદોના કર્મ અને ધર્મની સમજૂતી આપવાનો છે જેનો ઉલ્લેખ શરૂઆતના ઉપનિષદોમાં પણ છે. જૈમિનિની મીમાંસા તે સમયના ગૂઢ વેદાંતના પ્રવાહની વિરુદ્ધ એક પ્રતિ-ચળવળ હતી. તેના પર શબરે પણ શરૂઆતના સૈકાઓમાં ટિપ્પણી કરી છે. [૧]
તેમણે જૈમિની ભારતનામે મહાભારતના એક અન્ય સંસ્કરણની પણ રછના કરીએ જે તેના અશ્વમેઘ પર્વ નામના ખંડ માટે જાણીતી છે.[૨]
જૈમિની સૂત્રો કે ઉપદેશ સૂત્રો બૃહદપરાશર હોરા શાસ્ત્ર પછી આવતી એક ઐતિહાસીક રચના છે.તેમાં તેમણે વિષ્તુત વર્ણન આપ્યુ^ છે જેના આધારે જ્યોતિષીની નવી શાખા જૈમિની જ્યોતિષની શરૂઆત થઈ. [૩]
જ્યારે ઋષિ વેદ વ્યાસએ પ્રાચીન વૈદિક સૂત્રોને તેમના બલિદાનના આધારે ચાર ભાગમાં વિભાજીત કર્યાં, અને તેમને પાના ચાર મુખ્ય શિક્ષણ શાખાઓ રૂપે શીખવ્યાં – પૈલા, વૈસમ્પાયન, જૈમિની અને સુમન્તુ, સામવેદ એ ઋષિ જૈમિનીને સમર્પિત હતું.
સૌથી પ્રાચીન પુરાણોમાંનું એક માર્કંડ પુરાણ, એ જૈમિની અને માર્કંડેય વચ્ચે વાર્તાલાપ સ્વરૂપે વર્ણવેલું છે. [૫]