તલવાર એ ૨૦મી સદીની શરૂઆતમાં બર્લિનથી પ્રકાશિત થયેલું ભારતીય રાષ્ટ્રવાદી સામયિક હતું.[૧] મૂળ મદનની તલવાર તરીકે છપાતું આ સામયિક પાછળથી ધ તલવાર તરીકે જાણીતું બન્યું હતું.
વિલિયમ હટ્ટ કર્ઝન વાયલીની રાજકીય હત્યા માટે મૃત્યુદંડની સજા પામેલા ભારતીય સ્વતંત્રતા ચળવળના નાયકોમાંના એક મદનલાલ ધિંગરાના નામ પરથી તેનું નામકરણ કરવામાં આવ્યું હતું. આ પ્રકાશનની સ્થાપના ૧૯૦૯માં પેરિસમાં ભિકાજી કામાએ કરી હતી. આ સમાચારપત્રનો હેતુ ભારતમાં રાષ્ટ્રવાદી અશાંતિ ભડકાવવાનો અને બ્રિટિશ ભારતીય સૈન્યના સિપાહીઓની વફાદારી પર પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરવાનો હતો. સંપાદકીય જવાબદારીઓ બર્લિનમાં વિરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય પાસે હતી.[૨] પેરિસ ઇન્ડિયન સોસાયટી દ્વારા પેરિસમાંથી પ્રકાશિત કરવામાં આવેલા વંદે માતરમ્ ની જેમ જ, આ સાપ્તાહિકે પણ અગાઉ લંડનથી પ્રકાશિત થતા ધ ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટનો સંદેશ ચાલુ રાખ્યો હતો.[૩]