ધાનશાક એ એક પ્રખ્યાત ભારતીય વાનગી છે જેને ખાસ કરીને પારસી સમાજ દ્વારા ખાવામાં આવે છે. [૧] આ વાનગી ઈરાની અને ગુજરાતી રાંધણના ગુણો ધરાવે છે. પારસી ઘરોમાં પારંપારિક રીતે રવિવારે બનાવાય છે.[૨] કેમકે આને રાંધતા ઘણો સમય લાગે છે.
ધાનશાકને તુવેર, શાકભાજી, મસાલા, જીરું, આદુ અને લસણ વાપરીને બનાવવામાં આવે છે આની સાથે બકરાનું માંસ અને દૂધી કે કોળું પણ વપરાય છે. પારસી સમાજમાં આને બકરીના માંસ સાથે અ બનાવાય છે.
ભારતની બહાર ઘાનશાકના એક વિવિધ રૂપમાં મીઠાશ તરીકે અનાનસ વપરાય છે,[૩] જો કે પારંપારિક કૃતિમાં કોઈ ફળઓ નથી હોતાં , તેમાં મીઠાસ માટૅ કોળું કે દૂધી ઉમેરાય છે.