નાંદુર મધમેશ્વર પક્ષી અભયારણ્ય નાસિક જિલ્લાના નિમ્ફાડ તાલુકામાં ખાતે સ્થિત થયેલ છે, જે મહારાષ્ટ્રના ભરતપુર તરીકે ઓળખાય છે.
ગોદાવરી નદીની પહોળાઈ પર પથ્થરનો પાળો નાંદુર મધમેશ્વર ખાતે બનાવવામાં આવેલ છે.[૧] આને પરિણામે અહીં જૈવિક વિવિધતાસભર સમૃદ્ધ પર્યાવરણ રચાયું છે. ઘણી પ્રજાતિના છોડ જેવા કે બાવળ, આમલી, લીમડો, જામુન, વિલાયતી, મહારુખ, પંગારા, આંબો, નીલગિરી વગેરે જોવા મળે છે. અહીં કેટલાક જળચર વનસ્પતિની પ્રજાતિ પણ ઉપલબ્ધ છે.[૨][૩]