![]() | આ લેખની નિષ્પક્ષતા વિવાદાસ્પદ છે. કૃપા કરી સંબંધિત ચર્ચા માટે આ લેખનું ચર્ચાનું પાનું જુઓ. (February 2010) |
ન્યુટ્રાસ્યુટીકલ , “પોષણ” અને “ઔષધનિર્માણ” એ શબ્દને જોડતી પરિભાષા છે, જે રોગના અટકાવ અને ઉપચાર સહિત, સ્વાસ્થ્ય અને તબીબી લાભો પૂરાં પાડતા ખોરાક ઉત્પાદનો છે. આ પ્રકારના ઉત્પાદનો અલગ પોષક પદાર્થો, રોજિંદા આહાર પુરવણીઓ અને ચોક્કસ રોજિંદા આહારથી લઇને વારસાગત રીતે બનાવેલ ખોરાક, પ્રાકૃતિક ઉત્પાદનો, તેમજ ખાદ્ય અનાજ, સૂપ અને નિર્દોષ પીણાં જેવા પ્રક્રિયાત્મક ખોરાકથી મર્યાદિત છે. કોશિકાયુક્ત સ્તરના ન્યુટ્રાસ્યુટીકલ તત્વોમાં ઝડપથી સફળતા સાથે, જવાબદાર તબીબી વ્યવસાયમાં અનુપૂરક અને વૈકલ્પિક ઉપચારો પરના ચિકિત્સક અભ્યાસોમાંથી પૂર્ણ કરાતા મૂલ્યાંકન અને મૂલ્યાંકન કરાતી માહિતી માટે નમૂનારૂપ સર્વેક્ષણ વિકસી રહ્યું છે.[૧] ન્યુટ્રાસ્યુટીકલ પરિભાષા ન્યુજર્સીના કોફોર્ડ ખાતે ફાઉન્ડેશન ઓફ ઇન્નોવેશન મેડિસીન (Foundation of Innovation Medicine) (FIM) ના શોધક અને અધ્યક્ષ, ડો. સ્ટીફન એલ. ડિફેલીસ દ્વારા મૂળભૂત રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી હતી.[૨] ડો. ડિફેલીસ દ્વારા પરિભાષા આપવામાં આવી હોવાથી, તેનો અર્થ સ્વાસ્થ્ય કેનેડા દ્વારા બદલવામાં આવ્યો છે જે ન્યુટ્રાસ્યુટીકલને આ રીતે વ્યાખ્યાયિત કરે છેઃ ખોરાકમાંથી અલગ કરેલ અથવા શુદ્ધ કરેલ, અને સામાન્ય રીતે ખોરાક સાથે જોડાયેલ ન હોય તેવા તબીબી સંબંધી રૂપમાં વેચવામાં આવે છે અને હઠીલા રોગ વિરુદ્ધ શારીરિક લાભ અથવા રક્ષણ પૂરું પાડતા હોય તેવા નિદર્શન કરાયેલ ઉત્પાદન છે. ઉદાહરણોઃ બેટા-કેરોટીન (beta-carotene), લાયકોપેન (lycopene)[૩]. મરીયમ-વેબસ્ટર શબ્દકોષ ના છેલ્લા પ્રકાશનમાં આપેલી ન્યુટ્રાસ્યુટીકલની વ્યાખ્યા આ મુજબ છેઃ ખોરાકપદાર્થ (પોષણમૂલ્ય વધારનાર ખોરાક અથવા રોજિંદા આહાર પૂરવણી તરીકે) જે સ્વાસ્થ્ય ફાયદાઓ પૂરાં પાડે છે.[૪] ન્યુટ્રાસ્યુટીકલ આહારો ફાર્માસ્યુટીકલ દવાઓની જેમ સમાન પરીક્ષણ અને નિયમોનો વિષય નથી.[૨] અમેરિકન ન્યુટ્રાસ્યુટીકલ એસોસિએશન ઉત્પાદનો અને બનાવટો, તેમજ અન્ય સંબંધિત ગ્રાહક શિક્ષણ, વિકસતા ઉદ્યોગો, તેમજ વૈજ્ઞાનિક પ્રમાણોમાં ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (Food & Drug Administration)સાથે કામ કરે છે. FDA તેમના ઉત્પાદનો વિશે ચેતવણીરૂપ પત્ર મેળવનાર રોજિંદા આહારયુક્ત પૂર્તિ કંપનીઓની યાદી પૂરી પાડે છે.[૫]
અમેરિકન વસતિના લગભગ બે તૃતીયાંશ લોકો ઓછામાં ઓછા એક પ્રકારના ન્યુટ્રાસ્યુટીકલ સ્વાસ્થ્ય ઉત્પાદનો લે છે. બીજા ઉપચારાત્મક તત્વોની સરખામણીએ, આડઅસરો ઘટાડવાની સાથે ઇચ્છનીય ઉપચારાત્મક પરિણામો મેળવવાના પ્રયત્ન તરીકે ન્યુટ્રાસ્યુટીકલનો ઉપયોગે ઉત્તમ નાણાંકીય સફળતા મેળવી છે. ફાર્માસ્યુટીકલ કરતાં ન્યુટ્રાસ્યુટીકલની શોધ અને ઉત્પાદન માટેની પસંદગી ઔષધનિર્માણ કરતી અને બાયોટેક કંપનીઓ સારી જોવા મળે છે. અમુક ફાર્માસ્યુટકીલ અને બાયોટેક કંપનીઓ જે ન્યુટ્રાસ્યુટીકલની શોધના મુખ્ય સ્ત્રોત તરીકે સમર્પિ્ત છે જેમાં મોન્સાન્ટો (સેંટ લૂઇસ, એમઓ) (Monsanto(St. Louis, MO)), અમેરિકન હોમ પ્રોડક્ટ્સ (મેડિસન, એનજે) (American Home Products(Madison, NJ)), ડ્યુપોન્ટ (વિલ્મીંગ્ટન, ડીઇ)(Dupont(Wilmington,DE)) , એબોટ લેબોરેટરીઝ (એબોટ પાર્ક, આઇએલ) (Abbott Laboratories(Abbott Park, IL)), વોર્નર-લેમ્બર્ટ (મોરીસ પ્લેઇન્સ, એનજે) (Warner-Lambert(Morris Plains,NJ)), જહોન્સન એન્ડ જ્હોન્સન (ન્યુ બ્રન્સવિક, એનજે) (Johnson & Johnson(New Brunswick,NJ)), નોવાર્ટીસ (બેઝલ, સ્વીટ્ઝર્લેન્ડસ) (Novartis(Basel,Switzerland)), મેટાબોલેક્સ (હેવાર્ડ, સીએ) (Metabolex(Hayward,CA)), ગેન્ઝાયમ ટ્રાન્સજેનીક (Genzyme Transgenic), પીપીએલ થેરાપ્યુટીક્સ (PPL Therapeutics), અને ઇન્ટરન્યુરોન (લેક્સીંગ્ટન, કેવાય) (Interneuron(Lexington,KY))નો સમાવેશ થાય છે.[૬] યુએસમાં ન્યુટ્રાસ્યુટીકલ્સ ઉદ્યોગ આશરે $86 અબજ ડોલરનો છે. આ આંકડો યુરોપ અને જાપાનમાં થોડો ઊંચો છે, જે કુલ વાર્ષિોક ખોરાકના વેચાણના તેમનો $6 અબજ ડોલરનો લગભગ ચોથો ભાગ ધરાવે છે – 47 % જાપાનીઝ લોકો ન્યુટ્રાસ્યુટીકલ્સનો ઉપયોગ કરે છે.[૭] ચોક્કસ આર્થિક આંકડાઓ વિના પણ, ઔદ્યોગિક નોંધો સતત સૂચવે છે કે બજાર સાતત્યપૂર્ણ રીતે વિકસી રહી છે.
યુનાઇટેડ સ્ટેટ્સમાં વિકાસ માટેની એક શક્ય સમજૂતી એ વધતા જન્મ દરની વસતિ છે. નાગરિકોની સરેરાશ ઉંમર સતત વધતી હોવાથી, લોકો તેનું ધ્યાન સ્વાસ્થ્ય અને સુખાકારી વધુ આપે છે. 21 મી સદીના મધ્ય ભાગ સુધી, લગભગ 400 મિલીયન નાગરિકોની આયોજિત વસતિ પર આધારિત, આશરે 142 મિલીયન અમેરિકનો 50 થી વધુ વયના હોઇ શકે છે.[૮] જોકે, સર્વસામાન્ય ઉત્પાદનો બજારમાં આવવાથી કેટલાક ન્યુટ્રાસ્યુટીકલ્સની કિંમત ઘટી શકે, પણ આ ઉત્પાદનો પર લોકોની આધારીતતા અને તેમની વધતી જતી ઉપલબ્ધતા સૂચવે છે કે બજારનો વિકાસ સ્થિર રહેશે.
ઇજીપ્તીયન, ચાઇનીઝ અને સુમેરીયન જેવી કેટલીક સંસ્કૃતિએ એવું સૂચન કરતા પુરાવા પૂરાં પાડ્યા છે કે ખોરાક રોગના ઉપચાર અને અટકાવા માટે દવા તરીકે અસરકારક રીતે ઉપયોગમાં લઇ શકાય છે. દસ્તાવેજ એવુ સૂચન કરે છે કે ખોરાકના તબીબી ફાયદાઓ હજ્જારો વર્ષોથી તપાસવામાં આવ્યા છે.[૮] હિપોક્રેટ્સ, જેમને અમુક પાશ્ચાત્ય ઔષધના જનક માનવામાં આવે છે, કહે છે લોકોએ “ખોરાકને તેમની દવા બનાવવી” જોઇએ.
આધુનિક ન્યુટ્રાસ્યુટીકલ બજારનો વિકાસ 1980 દરમિયાન જાપાનમાં શરૂ થયો. સમગ્ર એશિયામાં સદીઓથી લોકોપચાર તરીકે ઉપયોગમાં લેવાયેલ કુદરતી વનસ્પતિઓ અને મસાલાઓની વિરુદ્ધ, ન્યુટ્રાસ્યુટીકલ ઉદ્યોગ આધુનિક ટેકનોલોજીના સંશોધન અને વૃદ્ધીની સાથે સાથે વિકસ્યો છે.[૯]
ખોરાક વૈજ્ઞાનિકોમાં કરાયેલ નવાં સંશોધનો દર્શાવે છે કે દસકાઓ પહેલાં જે સમજાવવામાં આવતુ હતુ તેના કરતાં ખોરાક વિજ્ઞાન વિશેષ છે.[૯] હમણાં સુધી, ખોરાકનું વિશ્લેષણ એ ખોરાકની સુગંધ (સંવેદનાત્મક સ્વાદ અને બનાવટ) અને તેનું પોષણ મૂલ્ય (કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી, પ્રોટીન, પાણી, વિટામીન્સ અને ખનીજોનું સંયોજન) સુધી મર્યાદીત હતું. આમછતાં, વિકાસ પામતા પુરાવા છે કે ખોરાકના ઘટક ખોરાક અને સ્વાસ્થ્ય બે વચ્ચે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
આ રસાયણિક ઘટકો છોડ, ખોરાક અને માઇક્રોબાયલ સ્ત્રોતોમાં ઉત્પન્ન થયાં છે, અને લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે મૂલ્યવાન તબીબી ફાયદાઓ પૂરાં પાડે છે. આ ન્યુટ્રાસ્યુટીકલ રસાયણોના ઉદાહરણોમાં પ્રોબાયોટીક્સ, એન્ટિઓક્સીડન્ટ્સ, અને પાઇથોકેમીકલ્સનો સમાવેશ થાય છે.
ન્યુટ્રાસ્યુટીકલ ઉત્પાદનો ઘણાં વર્ષો સુધી વૈકલ્પિક દવા તરીકે વિચાર કરવામાં આવતો હતો. ન્યુટ્રાસ્યુટીકલ્સ આહાર માટે વધુ મુખ્ય પોષક બન્યા છે, હવે આ સંશોધન એ પુરાવ દર્શાવવા માટે શરૂ થયું છે કે આ રસાયણો જ્યારે અસરકારક રીતે તૈયાર કરાયેલ હોય અને યોગ્ય રીતે બજારમાં મૂકાયેલ હોય ત્યારે અસરકારક હોય છે.
ન્યુટ્રાસ્યુટીકલ્સ એક વિસ્તૃત રીતે ઉપયોગમાં લેવાતો શબ્દ ખોરાક સ્ત્રોતોમાંથી ઉત્પન્ન થયેલ કોઇ ઉત્પાદન જે આહારમાંથી મળતા મૂળભૂત પોષક મૂલ્યથી વિશેષ સ્વાસ્થ્ય ફાયદા પૂરાં પાડતા હોય તેના માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પારંપરિક રીતે ઉત્પાદનો હઠીલા રોગો અટકાવવા, સ્વાસ્થ્ય સુધારવા, વૃદ્ધાવસ્થાની પ્રક્રિયાને પાછળ ધકેલવા, અને જીવન સંભાવના વધારવા માટે વપરાય છે.[૧૦]
જે ઉત્પાદનો ન્યુનત્તમ નિયમન ધરાવે છે તેમના લેબલ્સ પર ન્યુટ્રાસ્યુટીકલ પરિભાષા દેખાડવાની છૂટ આપવામાં આવી છે. આ કારણોસર, પરિભાષા વિભિન્ન ઉપયોગો અને અસરકારકતા સાથે ઉત્પાદન બજાર માટે ઘણીવાર ઉપયોગમાં લેવાય છે. ન્યુટ્રાસ્યુટીકલ્સની વ્યાખ્યા અને સંબંધિત ઉત્પાદનો ઘણીવાર સ્ત્રોત પર આધારીત હોય છે. તબીબી સમાજના સભ્યોની ઇચ્છા છે કે ન્યુટ્રાસ્યુટીકલ પરિભાષા બહાર ઉપલબ્ધ વિસ્તૃત ઉત્પાદનોની વિવિધતા વચ્ચે ભેદ પાડવા માટે વધુ ચોક્કસ રીતે સ્થાપવામાં આવે.[૬] ન્યુટ્રાસ્યુટીકલ્સની શ્રેણી હેઠળ ઉત્પાદનોના ગુણાત્મક પ્રકારોનો સમાવેશ થાય છે.
આહાર પૂરવણી એ પ્રવાહી કે કેપ્સ્યુલના સ્વરૂપ તૈયાર થયેલ ખોરાક ઉત્પાદનમાંથી ઉદ્દભવેલ પોષકો ધરાવતુ ઉત્પાદન છે. 1994 ના ધી ડાયેટરી સપ્લીમેન્ટ હેલ્થ એન્ડ એજ્યુકેશન એક્ટ (The Dietary Supplement Health and Education Act (DSHEA)) આહાર પૂરવણીમાં શેનો સમાવેશ થવો જોઇએ તેનું સામાન્ય રીતે વર્ણન કરે છે. “આહાર પૂરવણી એ મોં દ્વારા લેવામાં આવતુ ઉત્પાદન છે જેનો હેતુ આહાર પૂરવણીના “આહાર ઘટકો” છે. આ ઉત્પાદનોમાં આ મુજબ “આહાર ઘટકો” નો સમાવેશ થાય છેઃ વિટામીન, ખનીજો, વનસ્પતિઓ, એમિનો એસિડ અને એન્ઝાઆયમ્સ, શારીરિક પેશીઓ, રસગ્રંથિમાં ઉત્પન્ન થયેલ અને ચયાપચયની ક્રિયા ઉત્પન્ન કરે તેવા પદાર્થો. આહાર પૂરવણીઓ કાઢી શકાય કે ભેળવી શકાય છે, અને દવાઓ, કેપ્સ્યુલ્સ, સોફ્ટજેલ, જેલકેપ્સ, પ્રવાહીઓ અથવા પાઉડર જેવા રૂપમાં મળી શકે છે.”[૧૧]
આહાર પૂરવણીઓ બજારમાં મૂકતા પહેલાં યુ.એસ. ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) (U.S. Food and Drug Administration (FDA)) ની અનુમતિ લેવાની નથી. જોકે પૂરવણીઓ સ્વાસ્થ્ય ફાયદાઓ પૂરાં પાડવા માટે છે, ઉત્પાદનો સામાન્ય રીતે લેબલનો સમાવેશ કરે છે જે દર્શાવે છેઃ “આ વિધાનો ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (Food and Drug Administration) દ્વારા ચકાસવામાં આવેલ નથી. આ ઉત્પાદન કોઇ રોગના નિદાન, સારવાર, ઉપચાર, અથવા અટકાવવા માટે નથી.”
કાર્યાત્મક ખોરાક પ્રવાહી કે કેપ્સ્યુલના રૂપમાં બનાવેલ આહાર પૂરવણી લેવા કરતાં, તેમના કુદરતી સ્વરૂપની નજીક વૃદ્ધિ કરનાર ખોરાક લેવા માટે ગ્રાહકોને અનુમતિ આપવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. કાર્યાત્મક ખોરાક કાં તો વૃદ્ધિ કરેલ અથવા પોષણમૂલ્ય વધારેલ, ન્યુટ્રીફિકેશન કહેવાતી પ્રક્રિયા છે. ખોરાક પર પ્રક્રિયા કરવામાં આવેલ હોય તે પહેલાંના સમાન સ્તરોમાં ફરીથી ખોરાકમાં પોષણ મૂલ્યો આ કાર્ય પુનઃસ્થાપિત કરે છે. ક્યારેક, દૂધમાં વિટામિન ડિ જેવા વિશેષ સઘન પોષકો ઉમેરવામાં આવે છે.
હેલ્થ કેનેડાએ એ કાર્યાત્મક ખોરાકની વ્યાખ્યા આ મુજબ આપી છે “શુદ્ધ પોષણયુકત અસર કરતા સામાન્ય ખોરાક જે વિશેષ તબીબી અથવા શારીરિક ફાયદા આપવા માટે ઉમેરવામાં આવતા ઘટકો કે તત્વો હોય છે.” [૩] જાપાનમાં, તમામ કાર્યાત્મક ખોરાકોએ ત્રણ સ્થાપિત આવશ્યકતાઓ પૂર્ણ કરવી આવશ્યક છે: ખોરાક (1) કેપ્સ્યુલ, ગોળી, અથવા પાઉડર કરતાં તેના કુદરતી સ્વરૂપમાં રજુ થવો જોઇએ; (2) રોજિંદા આહારમાં ઉપયોગ થવો જોઇએ; (3) રોગના અટકાવ અને નિયંત્રણની દિશામાં જૈવિક પ્રક્રિયાનું નિયમન કરતો હોવો જોઇએ.[૧૨]
તબીબી ખોરાક ગ્રાહકોને ઓવર-ધી-કાઉન્ટર ઉત્પાદ તરીકે ઉપલબ્ધ નથી.[૧૩] FDA માને છે કે તબીબી ખોરાક “તબીબના નિરીક્ષણ હેઠળ આંતરી રીતે ઉપયોગ અથવા આપવા માટે તૈયાર થવો જોઇએ, અને ફિઝીશ્યન મૂલ્યાંકન દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલ માન્ય વૈજ્ઞાનિક સિદ્ધાંતોના આધાર પર, લાક્ષણિક પોષણયુક્ત જરૂરિયાતો માટે રોગો અથવા પરિસ્થિતિઓના ચોક્કસ આહાર સંચાલન માટે હેતુપૂર્વકનું આયોજન છે.”[૧૨]
તબીબી ખોરાક મોં અથવા નળી આહાર દ્વારા લઇ શકાય છે. આ ખોરાક ઘણીવાર ચોક્કસ માંદગીઓનું નિદાન ધરાવતા લોકો માટે ખાસ પોષણ આવશ્યકતા પૂર્ણ કરવા માટે તૈયાર કરવામાં આવે છે. તબીબી ખોરાક તબીબી નિરીક્ષણ દ્વારા નજીકથી ચકાસવામાં આવે છે.
યુનાઇટેડ સ્ટેટ્સ કોંગ્રેસ માટે લખાયેલ અહેવાલ મુજબ “એગ્રિકલ્ચર: એ ગ્લોસરી ઓફ ટર્મ્સ, પ્રોગ્રામ્સ, એન્ડ લોઝ (Agriculture: A Glossary of Terms, Programs, and Laws)” શિર્ષકમાં “ફાર્માસ્યુટીકલ્સ સંબંધી દવાઓ (ફાર્માસ્યુટીકલ્સ) એ ખેતર અને ઔષધનિર્માણ સંબંધી દવા શબ્દોનું મિશ્રણ છે. તે ખેતી સંબંધિત પાક અથવા પ્રાણીને (સામાન્ય રીતે બાયોટેકનોલોજી દ્વારા) ફેરફાર કરવાથી ઉત્પાદીત તબીબી રીતે મૂલ્યવાન સંયોજનોનું સૂચન કરે છે. દરખાસ્ત કરનારાં માને છે કે ઔષધનિર્માણ સંબંધી દવા ફેક્ટરીઓ તરીકે શક્ય રીતે પ્રાણીઓનો ઉપયોગ કરતી પારંપરિક પદ્ધતિઓ (જેમ કે, સંલગ્ના ઉત્પાદન સુવિધાઓ) કરતાં વધુ અસરકારક બની શકે છે, અને વધુ કમાણીથી કૃષિ સંબંધિત ઉત્પાદકો પણ પૂરાં પાડે છે...
“યુનાઇટેડ સ્ટેટ્સમાં મુદ્દા પર બાયોટેકનોલોજી ચાલુ રાખવા માટે જો હાલના તંત્ર ફાર્માસ્યુટીકલ્સ જેવા નવાં ઉદ્દભવતા ઉપયોગો સલામતીની (પ્રાણીઓ, અને પાકો તેમજ પર્યાવરણ માટે) ખાતરી કરવા માટે પર્યાપ્ત છે કે કેમ... ફાર્માસ્યુટીકલ્સ પરિભાષા એ જનીની રીતે તૈયાર કરેલ પાક અથવા પશુઓના તબીબી ઉપયોગો સાથે, કૃષિ સંબંધિ વર્તુળોમાં વારંવાર જોડવામાં આવે છે.” [૧૪]
નોંધવામાં આવેલ તબીબી મૂલ્ય સાથે ખોરાકની આ અધુરી યાદી નીચે મુજબ છેઃ
વધુમાં, જિનસેંગ, લસણના તેલ ઇ. જેવા ઘણાં વનસ્પતિશાસ્ત્રીય અથવા હર્બલ અર્ક ન્યુટ્રાસ્યુટકલ્સ તરીકે વિકસાવવામાં આવેલ છે. ન્યુટ્રાસ્યુટીકલ્સ ઘણીવાર ખોરાક અને ફાર્માસ્યુટીકલ્સ ઉદ્યોગોમાં પોષણયુક્ત મિશ્રણો અથવા પોષણયુક્ત તંત્રોમાં ઘણીવાર ઉપયોગમાં લેવામાં આવે છે.
યુનાઇટેડ સ્ટેટ્સમાં, ફાર્માસ્યુટીકલ દવાઓથી અલગ, ન્યુટ્રાસ્યુટીક ઉત્પાદનો “આહાર પૂરવણીઓ”ની જેમ તપાસના સમાન સ્તર સાથે બહોળા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને નિરીક્ષણ કરવામાં આવેલ છે. કેનેડા જેવા ઘણા અન્ય દેશોથી અલગ, ફેડરલ ફુડ એન્ડ ડ્રગ એડમિનીસ્ટ્રેશન (Federal Food & Drug Administration) ની નજર હેઠળ, વ્યાખ્યાઓનો વિસ્તૃત-આધાર ઉપયોગ “ન્યુટ્રાસ્યુટીકલ્સ” અને “આહાર પૂરકો” વચ્ચેના માપદંડો, કાર્યો, અને અસરકારકતા દર્શાવવાની સાતત્યરહિત વિશ્વસનીયતાનો ઉપયોગ કરે છે. આ ઓછી નિયમબદ્ધ દ્રષ્ટિ સાથે, ન્યુટ્રાસ્યુટીકલ્સ ઉત્પાદન કરતી કાનુની કંપનીઓ તેમના ઉત્પાદકીય ધોરણો, ઉત્પાદનો અને ગ્રાહક ફાયદા પૂરાં પાડવા અને “આહાર પુરવણીઓ” માંથી તેમના ઉત્પાદનો અલગ કરવા માટે વિશ્વસનીય વૈજ્ઞાનિક સંશોધન પૂરું પાડે છે.
ન્યુટ્રાસ્યુટીકલ્સ વ્યાખ્યા અને ધોરણોમાં ચોક્કસ કાનુની અને વૈજ્ઞાનિક મર્યાદા ઉમેરવા માટે ઉદ્યોગ, વ્યવસાયિક સંસ્થાઓ, એકેડેમી, અને સ્વાસ્થ્ય નિયમન એજન્સીઓમાં આંતરરાષ્ટ્રિ ય હલચલ હોવા છતાં, યુનાઇટેડ સ્ટેટ્સમાં FDA દ્વારા પરિભાષાનું નિયમન કરેલ નથી. તમામ પદાર્થો માટે તેમની કાર્યક્ષમતા, ઉત્પાદન પ્રક્રિયા, સહાયક વૈજ્ઞાનિક સંશોધન અને વધારેલ સ્વાસ્થ્ય ફાયદાઓમાં ભેદ પાડ્યા વિના “આહાર પુરવણી” પરિભાષા FDA હજુ વિસ્તૃત પરિભષાનો ઉપયોગ કરે છે.
2005 માં, નેશનલ એકેડમીઝ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિસીન એન્ડ નેશનલ રીસર્ચ કાઉન્સિલે (National Academies Institute of Medicine and National Research Council) આહાર પૂરવણીઓના મૂલ્યાંકન માટે ફેડરલ ફુડ એન્ડ ડ્રગ એડમિનીસ્ટ્રેશન (Federal Food & Drug Administration) માટે સુધારેલ માળખું તૈયાર કરવા માટે બ્લુ-રિબન કમીટીની રચના કરી. જોકે સુધારેલ માળખું “ન્યુટ્રાસ્યુટીકલ્સ” અને “આહાર પૂરવણીઓ” વચ્ચે ભેદ પાડવામાં નિષ્ફળ ગયું. વિશાળ વ્યાખ્યાના સતત ઉપયોગ સાથે અને નોંધપાત્ર ભેદના અભાવે, કિંમત-આધારીત અને વૈજ્ઞાનિક રીતે આધારીત માળખાંને “ન્યુટ્રાસ્યુટીકલ્સ” તરીકે આંતરરાષ્ટ્રિય રીતે ઓળખાતી ગ્રાહક બનાવટો સહિત “આહાર પૂરવણીઓ” ની સલામતીનું મૂલ્યાંકન કરવાની આવશ્યકતા હતી.[૧૬]
વૈશ્વિક બજારમાં, આંતરરાષ્ટ્રિય બજારમાંથી ન્યુટ્રાસ્યુટીકલ અગત્યની ઉત્પાદક ગુણવત્તઓના કિસ્સાઓ[૧૭] સેન્દ્રીય કે બાહ્ય ઘટકોના ઉપયોગ માટે વાપરી શકાય છે, છતાં નિયમનોની ખામી અભ્યાસ બનાવટોની સલામતી અને અસરકારકતાનું સમાધાન કરે છે. કંપની વિશાળ નફો મેળવવા માટે નિમ્ન-ગુણવત્તા અથવા બિન-અસરકારક ઘટકો સાથે ગેરકાયદેસર ઉત્પાદનો તૈયાર કરે છે.
જૈવઉપલબ્ધતા દર જે “શોષણ દર” તરીકે વિચારી શકાય છે, તે અસરકારક ન્યુટ્રાસ્યુટીકલ બનાવટો શોધવામાં મુખ્ય પડકારોમાંનો એક છે. પોષકોની જૈવઉપલબ્ધતા તેના કુદરતી પ્રકારમાં લીધેલ ખોરાકમાં વધુ ઉચ્ચ હોય છે.[સંદર્ભ આપો]પ્રક્રિયા કરેલ ન હોય તેવા ખોરાકોમાં પણ, તમામ ખોરાકો યોગ્ય રીતે ઉપયોગમાં લેવાતા નથી અને અસરકારક રીતે તેનું પાચન થતુ નથી. નબળાં શોષણ દરો સાથે ન્યુટ્રાસ્યુટીકલ કોઇ પોષણયુક્ત અથવા તબીબી ફાયદા પૂરાં પાડ્યા વિના શરીરમાંથી વ્યવસ્થિત કરવામાં આવતા પોષકોમાં પરિણમે છે.
ફાર્માસ્યુટીકલ્સની સરખામણીએ, ન્યુટ્રાસ્યુટીકલ્સની અસરકારકતાનો ભાગ પ્લેસિબો અસર પર આધારીત હોઇ શકે. ન્યુટ્રાસ્યુટીકલનો ઉપયોગ કરતા ગ્રાહકો જ્યારે શરીર ઘણીવાર તેના પોતાના દ્વારા ફરી પ્રાપ્ત કરવા સક્ષમ છે, ત્યારે માંદગીની સારવાર માટે ન્યુટ્રાસ્યુટીકલનો તેનો ઉપયોગ આચોક્કસ રીતે વિશ્વસનીય હોઇ શકે.
|chapterurl=
(મદદ)