વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે.
₹૨.૧૫ billion (US$૨૮ million)ના ઉત્પાદનના બજેટ સાથે, પદ્માવત અત્યાર સુધીની ભારતની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક છે.[૭][૮][૯] શરૂઆતમાં ૦૧ ડિસેમ્બર ૨૦૧૭ ના રોજ પ્રકાશન માટે સુનિશ્ચિત થયેલ, પદ્માવત એ અસંખ્ય વિવાદોનો સામનો કરવો પડ્યો. હિંસક વિરોધ વચ્ચે, એક જૂથએ અભિનેત્રી દીપિકા પદુકોણ અને નિર્દેશક સંજય લીલા ભણશાળી પર ઈનામ મૂકવામાં આવ્યું [૧૦] અને સાથે સૂરજ પાલ અમુનું (તે સમયએ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી ના નેતા[૧૧]) જાહેર કરવું કે તે ઈનામને બમણો કરશે,[૧૨] અને તેના પ્રકાશનમાં અનિશ્ચિત વિલંબ થયો હતો. ડિસેમ્બરમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એ થોડા ફેરફાર સાથે ફિલ્મને મંજૂર કરી, જેમાં બહુવિધ અસ્વીકૃતઓ ઉમેરાવાનો અને શીર્ષકમાં ફેરફારનો સમાવેશ થાય છે.[૧૩][૧૪]પદ્માવત ૨૫ જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ ૨ડી, ૩ડી અને આઈમેક્સ ૩ડી ફોર્મેટમાં રિલીઝ થઈ હતી જેથી તે આઈમેકસ ૩ડી માં રજૂ થનાર પ્રથમ ભારતીય ફિલ્મ બની.[૧૫]
પદ્માવત ને મિશ્ર પ્રતિભાવો મળ્યો. સમાલોચકઓએ ફિલ્મના દ્રશ્યો, સિનેમેટોગ્રાફી અને રણવીર સિંહના ખિલજીના ચિત્રાંકનની પ્રશંસા કરી, પણ તેની કથા, અમલ, લંબાઈની ટીકા કરી.[૧૬] સમાલોચકઓને ખિલજીનું જડ દુષ્ટ મુસ્લિમ રાજા અને રતન સિંહનું ન્યાયી હિન્દુ રાજા તરીકેનું ચિત્રાંકન પણ ના ગમ્યું.[૧૭][૧૮][૧૯][૨૦][૨૧][૨૨] ભારતના કેટલાક રાજ્યોમાં પ્રકાશિત ન થવા છતાં, ફિલ્મએ બોક્સ-ઓફિસ પર ₹૫.૮૫ billion (US$૭૭ million) ની કમાણી કરી, વ્યવસાયિક રીતે સફળતા બની અને અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મો માંની એક બની.[૨૩]
દીપિકા પદુકોણ - પદ્માવતી એક ૧૩મી-૧૪મી સદીની[૨૪] સુપ્રસિદ્ધ રાજપુત રાણી, જે પદ્માવત પ્રમાણે, રાજપૂત રાજા અને મેવાડ ના શાસક રતન સિંહ (રતન સેન) ની પત્ની હતા. પદ્માવતીની સુંદરતાના સમાચાર સુલતાન અલાઉદ્દીન ખિલજી જોડે પહોંચ્યા, જેણે સિંહની રાજધાની ચિત્તોડને ઘેરી લીધું, રાણીને કબજે કરવાની ઇચ્છાથી પ્રેરિત.
શાહિદ કપૂર - રતન સિંહ ગુહિલા રાજવંશના છેલ્લા રાજપૂત શાસક જેમણે મેવાડ રાજ્યનું શાસન કર્યું. તેમણે અલાઉદ્દીન ખિલજીના દળો દ્વારા ચિત્તોડના ઘેરા દરમિયાન પરાજય થયા હતા.
રણવીર સિંહ - અલાઉદ્દીન ખિલજી ખિલજી વંશ ના બીજા અને સૌથી શક્તિશાળી શાસક જેમણે દિલ્હી સલ્તનત પર શાસન કર્યું.[૨૫] તેમણે તેમના કાક અને સસરા સુલતાન જલાલુદ્દીન ખલજી ની હત્યા કરીને સિંહાસન ઉપર ચડ્યા.[૨૬]પદ્માવત પ્રમાણે, રતન સિંહની સુંદર પત્ની, પદમાવતીને કબજે કરવાની ઇચ્છાથી પ્રેરિત ખિલજીએ ચિત્તોડને ઘેરી લીધું હતું.
રાઝા મુરાદ - જલાલુદ્દીન ખિલજી ખિલજી વંશના સ્થાપક અને પ્રથમ સુલતાન જેમણે દિલ્હી સલ્તનત પર શાસન કર્યું. તેમણા ભત્રીજા અને જમાઈ અલાઉદ્દીન દ્વારા તેમને પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા, જેમણે તેના કાકાનું સિંહાસન પડાવી દેવા માટે હત્યા કરી હતી.[૨૮]
અનુપ્રિયા ગોએન્કા - નાગમતી પદ્માવત પ્રમાણે રતન સિંહની પ્રથમ પત્ની અને મુખ્ય રાણી.[૨૯] નાગમતી અને તેમના પતિની બીજા પત્ની, પદ્માવતીએ અલાઉદ્દીન ખિલજીના ચિત્તોડ પર હુમલો કર્યા બાદ જોડે જોહર કર્યું હતું.[૩૦]