બાદરાયણ (IAST Bādarāyaṇa; દેવનાગરી: बादरायण) એક ભારતીય ફિલસૂફ હતા જેમની લગભગ કોઈ વ્યક્તિગત વિગતો વિશ્વસનીય રીતે કોઈની જાણમાં નથી. તેમણે વેદાંતના પાયાનો દાર્શનિક ગ્રંથ વેદાંતસુત્ર લખ્યો છે.
બાદરાયણના સમયકાળ વિશે વિવિધ અટકળો કરવામાં આવી છે. વર્તમાન વિદ્વાનો સર્વસંમતિથી તેમને પ્રથમ સદીના મધ્યકાળના સમયમાં થઈ ગયા એમ માને છે.[૧]
બાદરાયણને મૂળભૂત લખાણ વેદાંતસૂત્ર તથા બ્રહ્મસૂત્રમાં વેદાંત વિષયક પાયાની વાતો લખી છે.[૨] આમ તેમને વેદાંત[૩]ના સ્થાપક ગણવામાં આવે છે.