શેઠ માણેકલાલ જેઠાભાઇ પુસ્તકાલય | |
![]() મા. જે. પુસ્તકાલય | |
દેશ | ભારત |
---|---|
પ્રકાર | જાહેર પુસ્તકાલય |
સ્થાપના | ૧૫ એપ્રિલ ૧૯૩૮ |
સ્થપતિ | ક્લાઉડ બૅટલી |
સ્થાન | અમદાવાદ, ગુજરાત |
વિસ્તાર | અમદાવાદ |
અક્ષાંશ-રેખાંશ | 23°01′24″N 72°34′16″E / 23.023312°N 72.571188°E |
વેબસાઇટ | www |
Map | |
![]() |
મા. જે. પુસ્તકાલય, એમ.જે. લાઇબ્રેરી અથવા શેઠ માણેકલાલ જેઠાભાઇ પુસ્તકાલય એલિસ બ્રિજ, અમદાવાદ, ભારત ખાતે સ્થિત એક જાહેર પુસ્તકાલય છે.
મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમમાં તેમની પાસેનાં પુસ્તકોના સંગ્રહ દ્વારા જાહેર પુસ્તકાલય બનાવવાની દરખાસ્ત કરી. આ પુસ્તકાલય શરૂ કરવા માટે બાપુએ આશરે ૭,૦૦૦ [૧] -૧૫,૦૦૦ [૨] પુસ્તકો દાન કર્યાં.[૩][૪]
પુસ્તકાલયનું નામ માણેકલાલ જેઠાભાઇના નામ પર રાખવામાં આવ્યું; તેઓ રસિકલાલ માણેકલાલ (જેમણે આ પુસ્તકાલય બનાવવા માટે દાન આપ્યું હતું) ના પિતા હતા.[૪] તેનું ઉદ્ઘાટન સરદાર વલ્લભભાઇ પટેલે ૧૫ એપ્રિલ ૧૯૩૮ના રોજ કર્યું હતું.
પુસ્તકાલયની સ્થાપત્ય સંરચના (આર્કિટેક્ચરલ ડિઝાઇન) ક્લાઉડ બૅટલીએ કરી હતી.[૫]