માવઠા તળાવ | |
---|---|
આમેરના કિલ્લા પરથી માવઠા તળાવનું સુંદર દૃશ્ય | |
સ્થાન | આમેર, જયપુર, રાજસ્થાન, ભારત |
અક્ષાંશ-રેખાંશ | 26°59′0.154″N 75°51′4.3103″E / 26.98337611°N 75.851197306°ECoordinates: 26°59′0.154″N 75°51′4.3103″E / 26.98337611°N 75.851197306°E |
પ્રકાર | મીઠા પાણીનું તળાવ |
બેસિન દેશો | ભારત |
મહત્તમ લંબાઈ | ૬૮૦ મીટર |
મહત્તમ પહોળાઈ | ૨૨૦ મીટર |
રહેણાંક વિસ્તાર | જયપુર |
માવઠા તળાવ ભારત દેશના રાજસ્થાન રાજ્યના પાટનગર જયપુર ખાતે આમેરના કિલ્લાની નીચેના ભાગમાં આવેલ છે. આ એક કૃત્રિમ જળાશય છે, જેનું નિર્માણ મહેલની સુરક્ષા તેમ જ સુંદરતા વધારવા માટે કરાવવામાં આવ્યું હતું. તળાવના એક કિનારા પરથી કિલ્લામાં જવા માટે પગથી-માર્ગ છે, અને એક સુંદર બગીચો પણ બનાવવામાં આવેલ છે. તેનું નિર્માણ કછવાહા રાજા જય સિંહના સમયમાં કરવામાં આવ્યું હતું. આ ઉદ્યાનનું નામ દુલારામ બાગ છે. વર્ષાઋતુમાં માવઠા તળાવ પાણી વડે ભરાય જાય છે અને પછી અહીંની સુંદરતા જોવાલાયક હોય છે.[૧] આ તળાવની મહત્તમ લંબાઈ ૬૮૦ મીટર અને મહત્તમ પહોળાઈ ૨૨૦ મીટર જેટલી છે.
માવઠા તળાવની મધ્યમાં એક નાનો ટાપુ બનાવવામાં આવેલ છે, જેના પર એક બગીચો પણ છે. તેને કેસર ક્યારી પણ કહેવામાં આવે છે, કારણ કે ક્યારેક તેમાં સુગંધિત કેસરનું વાવેતર કરવામાં આવતું હતું, જેના વડે કિલ્લા નજીકનું વાતાવરણ મહેકતું હતું. મહેલના હાથીઓ કોઈ કોઈ વાર અહીં જળક્રીડા કરતા જોવા મળતા હતા.
પૂર્વ દિશામાં તેના કિનારા પર મોટા મોટા વડનાં વૃક્ષો હતાં, જેના કારણે તળાવનું નામ મહાવટા સરોવર પડ્યું હતું, જે કાળાંતરે અપભ્રંશ થઈ માવઠા બની ગયું છે.[૨] આ વૃક્ષ મહારાજાએ ૧૫મી સદીમાં રોપાવ્યાં હતાં.[૩] આ તળાવમાં પહાડી પરથી આવતા વરસાદના પાણીનો સંગ્રહ થાય છે, તેમ જ આમેરના મહેલ અને નજીક વસવાટ કરતા લોકો માટે મુખ્ય જળસ્ત્રોત છે. જયપુરમાં ગણેશ ચતુર્થી પ્રસંગે સ્થાપિત ગણપતિની મૂર્તિઓ વિસર્જન માટે આજ તળાવ ખાતે લાવવામાં આવે છે.[૪] આમેર મહેલ વિશે એમ પણ કહેવાય છે કે માવઠા તળાવના કિનારે આવેલ મહેલ જોઈને પ્રતીત થાય છે કે જે સોનાની રકાબીમાં હીરા અને મોતી જડવામાં આવ્યા હોય.[૫]
|access-date=
(મદદ)
|access-date=
(મદદ)