મુનિસુવ્રત | |
---|---|
૨૦ મા જૈન તીર્થંકર | |
શ્રી ૧૦૦૮ મુનિસુવ્રત ભગવાનની મૂર્તિ | |
ધર્મ | જૈનધર્મ |
પુરોગામી | મલ્લિનાથ |
અનુગામી | નમિનાથ |
પ્રતીક | કાચબો[૧] |
ઊંચાઈ | ૨૦ ધનુષ્ય (૬૦ મીટર) |
ઉંમર | લગભગ ૩૦,૦૦૦ વર્ષ |
વર્ણ | શ્યામ |
વ્યક્તિગત માહિતી | |
આવિર્ભાવ | |
દેહત્યાગ | |
માતા-પિતા |
|
મુનિસુવ્રત (મુનિસુવ્રત સ્વામી અથવા મુનિસુવ્રત નાથ) એ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૨૦મા તીર્થંકર છે. જૈન મત અનુસાર તેમણે પોતાના સર્વ કર્મોનો ક્ષય કર્યો અને પોતાના આત્માને મુક્ત કરી સિદ્ધ બન્યા. શાસ્ત્રો અનુસાર જૈન રામાયણ મુનિસુવ્રતના કાળમાં ઘટી હોવાનું જણાવાયું છે. તેમના મુખ્ય ગણધર મલ્લિસ્વામી હતા.
મુનિસુવ્રત એ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૨૦ મા તીર્થંકર છે.[૨]
જૈન શાસ્ત્રો અનુસાર ૧૯ મા તીર્થંકર મલ્લિનાથના જન્મ પછી ૩૪,૫૦,૦૦૦ વર્ષે થયો હતો.[૩] આણત કલ્પ નામના દેવલોકમાં આયુષ્ય પૂર્ણ કરી તેમનો જીવ હરિવંશ કુળના રાણી પદ્મા અને રાજા સુમિત્રને ઘેર આસો સુદ બારશના દિવસે જન્મ લીધો.[૩] તેની પહેલાના જન્મમાં મુનિસુવ્રત મહાવિદેહ ક્ષેત્રમાં ચંપાના રાજા હતા. તેમનું નામ સુરશ્રેષ્ઠ હતું.[૪]
શ્રાવણ મહિનાની વદ ત્રીજના દિવસે રાજગૃહીની રાણી પદ્માએ ૧૬ સ્વપ્ના જોયા. આ વાત તેમણે રાજાને કરી અને રાજાએ તેનો અર્થ સૂચવતા જાણાવ્યું તેમને ઘેર તીર્થંકરનો જન્મ થવાનો છે. ત્યાર બાદ શ્રાવણ સુદ પૂનમે ઈ.સ. પૂર્વે ૧૧,૮૪,૯૮૦માં મુનિસુવ્રતનો જન્મ થયો.[૨]
જૈન ગ્રંથો અનુસાર કુમારાકાળના ૭૫૦૦ વર્ષો પછી, મુનિસુવ્રતે ૧૫,૦૦૦ વર્સો સુધી તેમન દેશ પર રાજ (રાજકાળ) કર્યું. ત્યારબાદ તેઓ રાજપાટ આદિનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી સાધુ બન્યા. દીક્ષા લીધા બાદ ૧૧ મહિના સુધી તેઓ કર્મોનો ક્ષય કરતાં કરતાં છદમસ્ત રૂપે (છદમસ્તકાળ) વિચર્યા અને ત્યાર બાદ કેવળજ્ઞાન પામ્યા.[૩]
તેમની ઊંચાઈ ૨૦ ધનુષ (૬૦ મીટર) હતી.[૫]
કેવળ જ્ઞાન પામ્યા પછી મુનિસુવ્રત ૩૦,૦૦૦ વર્ષો સુધી વિચર્યા હોવાનું મનાય છે અને ત્યાર બાદ ફાગણ વદ બારસના સમ્મેત શિખર પર નિર્વાણ પામ્યા.[૩]
સ્વયંભુસ્રોત - આચાર્ય સામંતભદ્ર રચિત સ્વયંબુસ્રોત ચાર તીર્થંકરોના ગુણગાન કરે છે તેમાંથી પાંચ શ્લોક મુનિસુવ્રતનાથના ગુણોનું વર્ણન કરે છે.[૩]
જૈન રામાયણની ઘટનાઓ મુનિસુવ્રતના કાળમાં ઘટેલી હોવાનું જૈન શાસ્ત્રોમાં લખેલું છે.[૬]
|