મોહનલાલ લલ્લુભાઈ દાંતવાળા | |
---|---|
જન્મની વિગત | સુરત, ગુજરાત, ભારત | 18 September 1909
મૃત્યુની વિગત | 8 October 1998 | (ઉંમર 89)
વ્યવસાય | ખેતીવાડી અર્થશાસ્ત્રી શૈક્ષણિક લેખક |
સક્રિય વર્ષ | ૧૯૩૪–૧૯૯૮ |
પુરસ્કારો | પદ્મભૂષણ |
નોંધ |
મોહનલાલ લલ્લુભાઇ દાંતવાળા (૧૯૦૯–૧૯૯૮) એ એક ભારતીય કૃષિ અર્થશાસ્ત્રી અને શૈક્ષણિક લેખક હતા, જેમને ઘણા લોકો ભારતીય કૃષિ અર્થશાસ્ત્રના પિતા તરીકે ગણે છે. [૧] તેઓ ગાંધીવાદી અને ભારતીય સ્વતંત્રતા ચળવળમાં કાર્યકર હતા. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન તેમને છ વર્ષથી વધુ સમય સુધી કેદ ભોગવવી પડી. તેમણે ભારતના કૃષિ ક્ષેત્ર પર અનેક પુસ્તકો અને લેખ લખ્યાં છે [૨] અને વિકાસ અધ્યયનને પ્રોત્સાહન આપતા સંશોધન કેન્દ્ર, સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઑલ્ટરનેટિવ્સ (સીએફડીએ) ના તેઓ સ્થાપક અધ્યક્ષ હતા. [૩] ભારત સરકારે તેમને ભારતીય વિજ્ઞાન અને તકનીકીમાં ફાળો આપવા બદલ ૧૯૬૯માં પદ્મ ભૂષણ, ત્રીજો સર્વોચ્ચ ભારતીય નાગરિક પુરસ્કાર, એનાયત કર્યો હતો. [૪]
મોહનલાલ દાંતવાળાનો જન્મ ૧૮ સપ્ટેમ્બર ૧૯૦૯માં ભારતના ગુજરાત રાજ્યના મોટા શહેરોમાંના એક એવા સુરતમાં થયો હતો.[૫] એમ. ટી. બી. આર્ટસ્ કોલેજ, સુરત અને વિલ્સન કોલેજ, મુંબઈ, માં શૈક્ષણિક ઉત્કૃષ્ટતા માટે તેમણે જેમ્સ ટેલર પુરસ્કાર જીત્યો હતો. ત્યારબાદ તેમણે મુંબઈ વિશ્વવિદ્યાલયની સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં ફેકલ્ટી સભ્ય તરીકે કામ કર્યું હતું.[૧] આ સમય દરમિયાન જ તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં શામેલ થયા અને તે દરમિયાન, કુલ સાડા છ વર્ષનો જેલમાં રહ્યા. આના કારણે તેમના ડોક્ટરલ અધ્યયનમાં અવરોધ ઉભો થયો હતો. મુંબઈની આર્થર રોડ જેલમાં સજા ભોગવી રહ્યા હતા ત્યારે તેમનો થિસિસ રજૂ કરવામાં આવ્યો હતો. આ સમય દરમ્યાન, તેમણે તેમની નોંધપાત્ર કૃતિઓમાંથી એક, ઈન્ડિયા કોટન એસોસિએશન દ્વારા પ્રાયોજિત કૃતિ 'અ હન્ડ્રેડ યર્સ ઑફ ઇન્ડિયન કોટન' પણ લખી હતી.આ પુસ્તકનું આમુખ જવાહરલાલ નહેરુએ લખ્યું છે.[૬]
દાંતવાળા ગાંધીજીના નજદીકી સહયોગીઓમાંના એક હતા. ગાંધીવાદી આદર્શ આધારીત પ્રેક્ટિકલ ટ્રસ્ટીશીપના વિકાસ માં તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આ દસ્તાવેજ હરિજનના ઑક્ટોબર ૧૯૫૨ના અંકમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.[૭] ભારતીય સ્વતંત્રતા પછી તેઓ જયપ્રકાશ નારાયણ અને રામ મનોહર લોહિયા જેવા અનેક અગ્રણી રાજકીય નેતાઓ સાથે સંકળાયેલા હતા, તેઓએ કોંગ્રેસની સમાજવાદી પાર્ટીની રચનામાં મદદ કરી. [૧] તેમણે થોડા સમય માટે મોરારજી દેસાઇના ખાનગી સચિવ તરીકે પણ કાર્ય કર્યું હતું. તેઓ ભારતના આયોજન પંચ દ્વારા ૧૯૭૭માં સ્થાપિત થયેલ બ્લોક લેવલ પ્લાનિંગના વર્કિંગ ગ્રૂપના અધ્યક્ષ તરીકે કાર્યરત હતા, [૮] આ જૂથે સામાજિક-આર્થિક આયોજન માટે બ્લોક સ્તરે સંગઠનાત્મક અને કાર્યાત્મક રીતીઓ સૂચવી હતી. [૯] [૧૦] આ સમિતિ પછીથી દાંતવાળા સમિતિ તરીકે જાણીતી થઈ. [૧૧] તેમણે મુંબઈ વિશ્વવિદ્યાલમાં અર્થશાસ્ત્ર વિભાગના ડિરેક્ટર તરીકે સેવા આપી [૧૨] અને ભારત સરકારના રાષ્ટ્રીય અધ્યાપક હતા.[૧૩] ૧૯૯૮ માં સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓલ્ટરનેટિવ્સ (સીએફડીએ) ની સ્થાપના થઈ, ત્યારે તેઓ તેના સ્થાપક અધ્યક્ષ બન્યા, આ પદ પર તેઓ તેમના મૃત્યુ સુધી રહ્યા. [૩]
દાંતવાલા, જે કૃષિ અર્થશાસ્ત્રની વિવિધ વૈશ્વિક ચળવળો સાથે સંકળાયેલા હતા,[૧૪] આ વિષય પર તેમણે ઘણાં પ્રકાશનો લખ્યા [૨] અને કેટલાક અન્ય પ્રકાશનોના પ્રકરણોમાં યોગદાન આપ્યું. [૧૫] આઝાદી પછીનો ભારતીય કૃષિ વિકાસ, [૧૬] ભૂમિ સુધારાનું મૂલ્યાંકન, [૧૭] ભારતમાં ગરીબી - ત્યારે અને હવે, ૧૮૭૦-૧૯૭૦,[૧૮][૧૯] ભારતમાં ગાંધીવાદ પર પુનર્વિચારણા [૧૯] અને કાચા કપાસનું માર્કેટિંગ [૨૦] એ તેમની અન્ય નોંધપાત્ર કૃતિઓ છે. તેમણે ડેલિમાસ ઑફ ગ્રોથ: ધ ઇન્ડિયન એક્સપિરિયન્સ [૨૧] અને સોશિયલ ચેઞ થ્રૂ વોલીન્ટારી એક્શન જેવા નિબંધો પણ સંપાદિત કર્યા છે. [૨૨] તેમને ૧૯૬૮ માં ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણના નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા,[૪] એક વર્ષ પછી,વેગનિજેન યુનિવર્સિટીના આનુષંગિક, વેગનિજેન યુનિવર્સિટી અને સંશોધન કેન્દ્ર દ્વારા ૧૯૬૮ માં ડોકટરેટથી સન્માનવામાં આવ્યા.[૨૩] ૮ ઑક્ટોબર ૧૯૯૮ના દિવસે તેમનું અવસાન થયું.[૧] તેમના જીવનની વાર્તા આર્થિક અને રાજકીય સાપ્તાહિક - કૃષિ અર્થશાસ્ત્રના ૧૯૯૮ના લેખોમાં દસ્તાવેજીત કરવામાં આવી છે: રીમેન્બરીંગ એમ.એલ. દાંતવાળા, [૨૪] અને પ્રોફેસર એમ.એલ. દાંતવાળા: એ ટ્રિબ્યુટ.[૨૫]
|archive-date=
(મદદ)
|last-author-amp=
ignored (|name-list-style=
suggested) (મદદ)