રાષ્ટ્રપતિ શાસન, ભારતના બંધારણની કલમ ૩૫૬ પ્રમાણે, જ્યારે રાજ્યમાં વ્યવસ્થા કે તંત્ર ભાંગી પડે કે કાર્યરત ન રહી શકે ત્યારે લાગુ થાય છે. એવી ઘટના કે જેમાં રાજ્ય સરકાર બંધારણ પ્રમાણે કાર્ય કરી રહી નથી તેવો અહેવાલ રાજ્યના રાજ્યપાલ દ્વારા મળે છે. અથવા રાષ્ટ્રપતિને પ્રતીત થાય તો રાજ્ય સીધું કેન્દ્રના શાસન હેઠળ આવે છે, જેમાં કાર્યપાલક સત્તાધિકારી ધારાસભાને જવાબદાર મુખ્યમંત્રીના વડપણ હેઠળના રાજ્યનાં પ્રધાનમંડળને બદલે રાજ્યપાલના આદેશાનુસાર કાર્ય કરે છે. ૬ મહિના સુધી રાષ્ટ્રપતિ શાસન લાગુ રહે છે. જો રાષ્ટ્ર્પતિ શાસનની મુદત વધારવી હોય તો ૬ મહિનામાં ફરીથી મંજુરી લઈને વધુમાં વધુ ૩ વર્ષ સુધી વધારી શકાય.[૧]
બંધારણ ની કલમ ૩૫૬ પ્રમાણે, જ્યારે રાજ્યમાં વ્યવસ્થા કે તંત્ર ભાંગી પડે કે કાર્યરત ન રહી શકે ત્યારે રાષ્ટટ્ર્પતિ દ્વારા લાગુ થાય છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |