વડતાલ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 22°42′00″N 72°52′00″E / 22.7°N 72.8667°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ખેડા |
તાલુકો | નડીઆદ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશો | મકાઈ, બાજરી, કપાસ, દિવેલી, તમાકુ, બટાટા, શક્કરીયાં |
વડતાલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ખેડા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા નડીઆદ તાલુકામાં આવેલું એક ગામ છે. વડતાલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, કપાસ, દિવેલી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
વડતાલમાં પ્રખ્યાત સ્વામિનારાયણ મંદિર આવેલું છે.[૧] આ મંદિર સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી બ્રહ્માનંદ સ્વામીએ બંધાવેલું છે.
વડતાલમાં રેલ્વે સ્ટેશન આવેલું છે. ૧૪ માઇલ લાંબી બ્રોડગેજ રેલ્વે લાઇન ૧૯૨૯માં આણંદ અને બોરીયાવી વચ્ચે શરૂ થઇ હતી જે સ્વામીનારાયણ મંદિરની મુલાકાત લેતા દર્શનાર્થીઓ માટે લાભદાયી નીવડી હતી.[૨]
૨૦૧૧માં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશને (ONGC) વડતાલમાં તેલ અને ગેસની શોધ માટે શારકામની શરુઆતની જાહેરાત કરી હતી. ઇ.સ. ૨૦૦૭માં વડતાલમાં તેલ ક્ષેત્ર મળી આવ્યું હતું.[૩]
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |