શામળદાસ ગાંધી | |
---|---|
જન્મની વિગત | ૧૮૯૭ |
મૃત્યુ | ૧૯૫૩ |
જીવનસાથી | વિજ્યાબેન |
સંતાનો | પુષ્પા, કિશોર, મંજરી, હેમંત |
માતા-પિતા |
|
શામળદાસ ગાંધી એક ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા. તેઓ તત્કાલીન જૂનાગઢ રજવાડાંની આરઝી હકૂમતના વડા હતા.[૧]
શામળદાસ મહાત્મા ગાંધીના નાના ભાઈ લક્ષ્મીદાસ કરમચંદ ગાંધીના પુત્ર હતા. તેઓ તેમના કાકા મોહનદાસના નજીકના અનુયાયી હતા.
ઈસ ૧૯૪૭માં જ્યારે જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત કરી ત્યારે જૂનાગઢના બહુમતી નાગરિકો ભારત સાથે જોડાવા માગતા હતા અને તેમની આ લાગણી દર્શાવવા તેમણે દેશવટાની સરકાર રચી અને તેમના વડા શામળદાસને બનાવ્યા.
જ્યારે ભારતીય દળો જૂનાગઢ અને તેના તાબા હેઠળના માંગરોળ (જૂનાગઢ) અને માણાવદરમાં પ્રવેશ્યા ત્યારે નવાબના દિવાન શાહનવાઝ ભુટ્ટોએ શામળદાસને જૂનાગઢનું સુકાન સંભાળવા આમંત્ર્યા, પરંતુ તેમણે તે પ્રસ્તાવ ભારત સરકારની તરફેણમાં જતો કર્યો.
આજે પણ શામળદાસ ગાંધીને જૂનાગઢ અને ગુજરાત રાજ્યમાં એક લોકનાયક અને દેશભક્ત તરીકે યાદ કરાય છે. અનેક શાળાઓ, સાર્વજનિક કાર્યો અને દવાખાનાં તેમના નામ હેઠળ ચલાવાય છે.